શોધખોળ કરો

UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન

United Nations Security Council: વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ભારતના સત્તાવાર ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો અને જણાવ્યું કે શાંતિ, વિશ્વાસ અને વૈશ્વિક સહયોગ ભારતની પ્રાથમિકતાઓ છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 2028-29ની અસ્થાયી સભ્યતા માટે ભારતની દાવેદારીને લઈને હવે ચીનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ચીને જણાવ્યું છે કે, તે ભારતની ઉમેદવારી સંબંધિત ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ભારતના ચૂંટણી અભિયાનની સત્તાવાર શરૂઆત કરી છે. બીજી તરફ અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન અગાઉથી જ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વધુ મોટી ભૂમિકાને સમર્થન આપી રહ્યા છે.

ભારતની દાવેદારી પર ચીનનું નિવેદન
ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનને ભારતની ઉમેદવારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે જણાવ્યું કે ચીને આ સંબંધિત અહેવાલો પર ધ્યાન આપ્યું છે. જોકે, ભારતને સમર્થન આપશે કે નહીં અથવા વિરોધ કરશે કે નહીં, તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી.

જયશંકરે ચૂંટણી અભિયાન શરૂ કર્યું
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન 2028-29 માટે UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અનેક દેશોના રાજદૂતો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોતાના સંબોધનમાં જયશંકરે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રત્યે ભારતનો અભિગમ શાંતિ, વિશ્વાસ, નિયમોનું સન્માન અને ઈમાનદારી પર આધારિત છે. તેમણે એ પણ જણાવ્યું કે જો ભારત ચૂંટાશે તો સુરક્ષા પરિષદમાં તે કઈ પ્રાથમિકતાઓ પર કામ કરશે.

આ પણ વાંચો: Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન

કાયમી સભ્યતા મુદ્દે ચીન હજુ પણ મૌન

ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોમાં સામેલ છે અને તેને વીટોનો અધિકાર પણ છે. તેમ છતાં, તેણે અત્યાર સુધી ભારતની કાયમી સભ્યતાનું ખુલ્લેઆમ સમર્થન કર્યું નથી. બીજી તરફ અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન અનેક વખત ભારતની કાયમી સભ્યતાને ખુલ્લું સમર્થન આપી ચૂક્યા છે.

તાજિકિસ્તાન સામે ભારતનો મુકાબલો

UNSCની 2028-29ની અસ્થાયી સભ્યતા માટેની ચૂંટણી આગામી વર્ષે જૂનમાં યોજાશે. એશિયા-પ્રશાંત જૂથની એક બેઠક માટે ભારતનો મુકાબલો તાજિકિસ્તાન સાથે થશે.

ભારત અગાઉ 2021-22 દરમિયાન સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે. ઉપરાંત ભારત 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12 દરમિયાન પણ સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે.

UNSCમાં સુધારાની માંગ ભારત સતત ઉઠાવતું રહ્યું છે

ભારત લાંબા સમયથી કહી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વર્તમાન માળખું લગભગ 80 વર્ષ જૂનું છે અને આજના વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા કરવાની જરૂર છે. 
ભારતનું માનવું છે કે વિકાસશીલ દેશોને સુરક્ષા પરિષદમાં વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જેથી વૈશ્વિક નિર્ણયો લેવામાં તેમની ભાગીદારી વધે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પરવથનેનીએ પણ જણાવ્યું કે વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષો દરમિયાન સુરક્ષા પરિષદ અસરકારક ભૂમિકા ભજવી શકી નથી. તેથી સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા સમયની જરૂરિયાત બની ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Advertisement

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget