શોધખોળ કરો

UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન

United Nations Security Council: વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ભારતના સત્તાવાર ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો અને જણાવ્યું કે શાંતિ, વિશ્વાસ અને વૈશ્વિક સહયોગ ભારતની પ્રાથમિકતાઓ છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 2028-29ની અસ્થાયી સભ્યતા માટે ભારતની દાવેદારીને લઈને હવે ચીનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ચીને જણાવ્યું છે કે, તે ભારતની ઉમેદવારી સંબંધિત ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ભારતના ચૂંટણી અભિયાનની સત્તાવાર શરૂઆત કરી છે. બીજી તરફ અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન અગાઉથી જ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વધુ મોટી ભૂમિકાને સમર્થન આપી રહ્યા છે.

ભારતની દાવેદારી પર ચીનનું નિવેદન
ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનને ભારતની ઉમેદવારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે જણાવ્યું કે ચીને આ સંબંધિત અહેવાલો પર ધ્યાન આપ્યું છે. જોકે, ભારતને સમર્થન આપશે કે નહીં અથવા વિરોધ કરશે કે નહીં, તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી.

જયશંકરે ચૂંટણી અભિયાન શરૂ કર્યું
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન 2028-29 માટે UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અનેક દેશોના રાજદૂતો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોતાના સંબોધનમાં જયશંકરે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રત્યે ભારતનો અભિગમ શાંતિ, વિશ્વાસ, નિયમોનું સન્માન અને ઈમાનદારી પર આધારિત છે. તેમણે એ પણ જણાવ્યું કે જો ભારત ચૂંટાશે તો સુરક્ષા પરિષદમાં તે કઈ પ્રાથમિકતાઓ પર કામ કરશે.

આ પણ વાંચો: Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન

કાયમી સભ્યતા મુદ્દે ચીન હજુ પણ મૌન

ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોમાં સામેલ છે અને તેને વીટોનો અધિકાર પણ છે. તેમ છતાં, તેણે અત્યાર સુધી ભારતની કાયમી સભ્યતાનું ખુલ્લેઆમ સમર્થન કર્યું નથી. બીજી તરફ અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન અનેક વખત ભારતની કાયમી સભ્યતાને ખુલ્લું સમર્થન આપી ચૂક્યા છે.

તાજિકિસ્તાન સામે ભારતનો મુકાબલો

UNSCની 2028-29ની અસ્થાયી સભ્યતા માટેની ચૂંટણી આગામી વર્ષે જૂનમાં યોજાશે. એશિયા-પ્રશાંત જૂથની એક બેઠક માટે ભારતનો મુકાબલો તાજિકિસ્તાન સાથે થશે.

ભારત અગાઉ 2021-22 દરમિયાન સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે. ઉપરાંત ભારત 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12 દરમિયાન પણ સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે.

UNSCમાં સુધારાની માંગ ભારત સતત ઉઠાવતું રહ્યું છે

ભારત લાંબા સમયથી કહી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વર્તમાન માળખું લગભગ 80 વર્ષ જૂનું છે અને આજના વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા કરવાની જરૂર છે. 
ભારતનું માનવું છે કે વિકાસશીલ દેશોને સુરક્ષા પરિષદમાં વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જેથી વૈશ્વિક નિર્ણયો લેવામાં તેમની ભાગીદારી વધે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પરવથનેનીએ પણ જણાવ્યું કે વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષો દરમિયાન સુરક્ષા પરિષદ અસરકારક ભૂમિકા ભજવી શકી નથી. તેથી સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા સમયની જરૂરિયાત બની ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
Embed widget