World Population: દુનિયાની વસ્તી આજે થઇ જશે 8 અબજને પાર, 2023માં ચીનને પાછળ પાડી દેશે ભારત
રિપોર્ટમાં 2050 સુધી એક મનુષ્યની એવરેજ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનુ અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે
![World Population: દુનિયાની વસ્તી આજે થઇ જશે 8 અબજને પાર, 2023માં ચીનને પાછળ પાડી દેશે ભારત World Population Report: United Nations said world population to cross 8 billion today World Population: દુનિયાની વસ્તી આજે થઇ જશે 8 અબજને પાર, 2023માં ચીનને પાછળ પાડી દેશે ભારત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/ecfbe2debd2f73d92174a7bbd6f3db90166849281502177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UN Report On World Population: દુનિયાની વસ્તી મંગળવારે એટલે કે આજે (15 નવેમ્બરે) પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી જશે. સંયુક્ત રાષ્ટ્ર (United Nation)ના રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે મંગળવારે વિશ્વ જનસંખ્યા (World Population) 8 અબજને પાર થઇ જશે. 2030 સુધી પૃથ્વી પર જનસંખ્યાનો આ આંકડો વધીને 850 કરોડ, 2050 સુધી 970 કરોડ અને 2100 સુધી 1040 કરોડ થવાનુ અનુમાન છે. યૂએનના રિપોર્ટમાં માનવની એવરેજ ઉંમર (Average Age) ને લઇને દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં આ 72.8 વર્ષની થઇ ચૂકી છે, જે 1990ની સરખામણીમાં 2019 સુધી 9 વર્ષ સુધી વધી છે.
વળી, રિપોર્ટમાં 2050 સુધી એક મનુષ્યની એવરેજ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનુ અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, મહિલાઓ પુરુષોની સરખામણીમાં એવરેજ 5.4 વર્ષ વધુ જીવે છે, મહિલાઓની એવરેજ ઉંમર 73.4 વર્ષ અને પુરુષોની એવેરજ ઉંમર 68.4 વર્ષ આંકવામા આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામા આવેલા વાર્ષિક જનસંખ્યા સંભાવના રિપોર્ટમા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, વૈશ્વિક જનસંખ્યા 1950 બાદથી પોતાની સૌતી ધીમા દરે વધી રહી છે, જે 2020 માં એક ટકાથી પણ ઓછી થઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક જનસંખ્યાને 7 થી 8 અબજ સુધી વધવામાં 12 વર્ષ લાગ્યા છે. જ્યારે 2037 સુધી આ 9 અબજ સુધી પહોંચી જશે.
Wildlife Population: WWFના રિપોર્ટે વધારી ચિંતા, 50 વર્ષોમાં દુનિયાભરમાં વન્યજીવની વસ્તીમાં 69 ટકાનો ઘટાડો નોંધાયો
World Wildlife Population: વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડનો લિવિંગ પ્લેનેટ રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટ અનુસાર, 1970 પછી વિશ્વની બે તૃતીયાંશથી વધુ વન્યજીવ વસ્તીમાં ઘટાડો થયો છે. 1970 અને 2018ની વચ્ચે વિશ્વવ્યાપી વન્યજીવોની વસ્તીમાં 69 ટકાનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ વૃક્ષો કાપવા અને પ્રદૂષણ હોવાનું જણાવાયું હતું.
ઝૂઓલોજિકલ સોસાયટી ઑફ લંડન (ZSL)ના સંરક્ષણ અને નીતિના ડિરેક્ટર એન્ડ્ર્યુ ટેરીએ જણાવ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે. આ દર્શાવે છે કે કુદરતી વિશ્વ ખાલી થઈ રહ્યું છે. અહેવાલમાં 5,000 થી વધુ પ્રજાતિઓને આવરી લેતી 32,000 વન્યજીવ વસ્તીની સ્થિતિ પર ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડનના 2018ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વસ્તી ઘટવાના મુખ્ય કારણો
આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જંગલોમાં વૃક્ષો કાપવા, માનવ શોષણ, પ્રદૂષણ અને ક્લાઇમેન્ટ ચેન્જ આ પાછળના સૌથી મોટા કારણો છે. લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 94 ટકા સાથે પાંચ દાયકામાં વન્યજીવનની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે 1994 અને 2016 વચ્ચે બ્રાઝિલિયન એમેઝોનમાં પિંક રિવર ડોલ્ફિનની વસ્તીમાં 65 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)