શોધખોળ કરો
UAE BAPS Temple: તસવીરોમાં જુઓ અબુ ધાબીમાં બની રહેલા BAPS હિન્દુ મંદિરની ઝલક, PM મોદી કરશે ઉદ્ઘાટન
BAPS Hindu Mandir Abu Dhabi: UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2024ના રોજ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તસવીરોમાં જુઓ મંદિરની ઝલક.

મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારતા પીએમ મોદી
1/8

BAPS હિન્દુ મંદિરે શુક્રવારે મંદિરના નિર્માણ કાર્ય સાથે સંબંધિત તસવીરો શેર કરી હતી. આ મંદિર બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક એકતા વધારવામાં મદદ કરશે. ઉપરાંત, તે ભારતીય સમુદાય માટે ખાસ છે.
2/8

અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ BAPS હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે.
3/8

અબુ ધાબીમાં BAPS હિંદુ આ મંદિર બનાવવા માટે લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ થશે.
4/8

BAPS હિંદુ મંદિરની ડિઝાઇનમાં સાત શિખરોને હાઇલાઇટ કરવામાં આવશે. જેમાં દરેકમાં UAEનું પ્રતીક હશે. મંદિર સંકુલમાં બાળકો માટે વર્ગખંડ, પ્રદર્શન કેન્દ્ર અને રમતનું મેદાન પણ હશે.
5/8

BAPS હિંદુ મંદિર કારીગરો દ્વારા એટલી મજબૂતીથી બનાવવામાં આવ્યું છે કે તેને 1000 વર્ષ સુધી કંઈ થવાનું નથી. BAPS હિંદુ મંદિર સ્થાપત્ય કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે.
6/8

image 6અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત ગુલાબી સેંડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં જટિલ કોતરણી અને શિલ્પો ભારતના કારીગરોની મદદથી બનાવવામાં આવ્યા છે.
7/8

BAPS હિંદુ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ઘન મીટર આરસ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. મંદિરની ડિઝાઇન વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત છે.
8/8

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અભિનેતા સંજય દત્ત અને અક્ષય કુમાર સહિત 50,000 થી વધુ લોકોએ મંદિરના નિર્માણમાં ઇંટો નાખી છે.
Published at : 31 Dec 2023 06:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
