શોધખોળ કરો
ભારતીય રેલવેમાં બહાર પડી 3000થી વધુ પદો પર ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
ભારતીય રેલવેમાં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક મોટી તક આવી છે. પૂર્વીય રેલવેએ વર્ષ 2025 માટે હજારો એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતીની જાહેરાત કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતીય રેલવેમાં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક મોટી તક આવી છે. પૂર્વીય રેલવેએ વર્ષ 2025 માટે હજારો એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ તરીકે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટ 2025 થી શરૂ થશે અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરીને તેમાં જોડાઈ શકે છે.
2/6

પૂર્વીય રેલવે દ્ધારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, કુલ 3115 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી વિવિધ વર્કશોપ અને વિભાગો માટે કરવામાં આવી રહી છે, જેમાં હાવડા, સિયાલદહ, માલદા, આસનસોલ, કાંચરાપાડા, લિલુઆ અને જમાલપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ભરતી યુવાનો માટે રેલવેમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માટે એક સુવર્ણ તક છે.
Published at : 05 Aug 2025 11:58 AM (IST)
આગળ જુઓ




















