શોધખોળ કરો
રાતભર ઉજાગરા અને અપૂરતી ઊંઘ લેવાથી વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
રાતભર ઉજાગરા અને અપૂરતી ઊંઘ લેવાથી વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
પ્રતિકાત્મક તસવીર
1/6

આજકાલ લોકોમાં રાત્રે મોડે સુધી જાગવું સામાન્ય બની ગયું છે. પરંતુ અપૂરતી ઊંઘ લેવાથી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છએ. એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
2/6

જો તમે રાત્રે મોડે સુધી જાગો છો તો અનેક રોગોને આમંત્રણ આપો છો. સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટી (Uppsala University)ના અભ્યાસ મુજબ, સળંગ ત્રણ દિવસ સુધી રાત્રે ચાર કલાકથી ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે. જેના કારણે હૃદયરોગની સમસ્યાઓમાં વધારો થાય છે.
3/6

અભ્યાસમાં પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ અણુઓ શરીર જ્યારે તણાવમાં હોય ત્યારે રોગ સામે લડતા હોય છે. જ્યારે આ પ્રોટીન્સ લાંબા સમય સુધી આ પ્રવૃતિ કરે છે ત્યારે તે રક્તવાહિનીઓને નુકસાન પહોચાડી શકે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી કે હાર્ટ ફેલ્યોર, કોરોનરી આર્ટિલરી ડિસીઝ અને અનિયમિત હાર્ટબીટની સંભાવનાઓમાં વધારો કરે છે.
4/6

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઓછી ઊંઘને કારણે આ અસરો ફક્ત વૃદ્ધોમાં જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકો અને સ્વસ્થ લોકોમાં પણ જોવા મળે છે. આ ખાસ કરીને ચિંતાજનક છે કારણ કે આજકાલ ઘણા લોકો, ખાસ કરીને જેઓ શિફ્ટમાં કામ કરે છે, તેઓ પૂરતી ઊંઘ લઈ શકતા નથી.
5/6

આ અભ્યાસ માટે 15 સ્વસ્થ યુવાનોને લેબોરેટરીમાં રાખવામાં આવ્યા હતા. આ યુવાનોને ત્રણ દિવસ માટે 8.5 કલાકની યોગ્ય ઊંઘ અને ત્રણ દિવસ માટે 4.25 કલાકની ઊંઘ આપવામાં આવતી હતી. દરેક પ્રયોગના અંતે તેમને સાયક્લિંગ વર્કઆઉટ કરાવવામાં આવતું હતું. જે બાદ તેમના રિપોર્ટથી હૃદય રોગ થવાની સંભાવનાઓ વિશે જાણી શકાયું હતું.
6/6

ઊંઘનો અભાવ તણાવ હોર્મોન્સ (જેમ કે કોર્ટિસોલ) માં વધારો કરે છે. આનાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે, જે લાંબા ગાળે હૃદયના રોગોનું કારણ બની શકે છે.
Published at : 26 May 2025 07:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















