કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ધોરણ 12ની ટર્મ 2ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી આ પરીક્ષા શરુ થશે. આ પહેલાં 5 જુલાઈના રોજ CBSEએ જાહેર કર્યું હતું કે, 2022ની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજાશે જેમાં ટર્મ 1ની પરીક્ષા પુર્ણ થઈ ચુકી છે ત્યારે હવે ટર્મ-2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
2/4
આ જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે 26 એપ્રિલ 2022થી ધોરણ 12ની પરીક્ષાઓ શરુ થશે. વિવિધ પ્રવાહો અને વિવિધ વિષયોની આ પરીક્ષા 15 જુન 2022 સુધી ચાલશે. પરીક્ષાના બધા પેપરનો સમય સવારે 10.30નો રાખવામાં આવ્યો છે જે વિષય પ્રમાણે 11.30થી 12.30 સુધીનો રહેશે.
3/4
પરીક્ષા દરમ્યાન બોર્ડે કોરોના નિયમોના પાલન કરવા માટે સુચના આપી છે. જેમાં કહેવાયું છે કે, માતા-પિતા પોતાના બાળકને કોરોના નિયમના પાલન માટે સુચનાઓ આપશે.
4/4
આ સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમ્યાન સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. વધુ વિગતો માટે www.cbse.gov.in સાઈટ પર અપડેટ જોવા માટે બોર્ડ દ્વારા કહેવાયું છે.