અમદાવાદઃ ‘જય જગન્નાથ’ના નાદ સાથે મંદિર પટાંગણ ગુંજી ઉઠ્યું. રથમાં આરુઢ ભગવાનની CM અને Dy.CMએ પહિંદવિધિ કરાવી. નીજ મંદિરથી રથ નગરચર્યા માટે નીકળ્યા. પ્રથમ રથ જગન્નાથનો, બીજો રથ સુભદ્રાજી , ત્રીજા નંબરે મોટા ભાઈ બલભદ્રજીનો રથ છે. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજના હસ્તે ભગવાનની મંગળા આરતી સંપન્ન હતી. ત્યાર બાદ ભક્તો અને મહંત દ્વારા ભગવાનની મૂર્તિઓને રથમાં આરુઢ કરાવી હતી. અમિત શાહ મંગળા આરતીમાં ભગવાનના દર્શન કર્યા હતા. 4.40 કલાકે ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. હાલ મંદિરના પટણાંગણમાં હજારો હરિભક્તોની જનમેદની જામી છે. રથયાત્રી વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....