શોધખોળ કરો
હાર્દિકના 'ભાજપના ગુંડાઓ દ્વારા હુમલા'ના આક્ષેપનો વિઠ્ઠલ રાદડિયાએ આપ્યો શું જવાબ? જાણો
1/5

રાદડિયાએ એમ પણ કહ્યું કે પાસને વિઠ્ઠલ રાદડિયા સામે બોલવાનો હક્ક જ નથી. અમે એટલાં કામો કર્યા છે તેને કોઇ બોલવાનો કોઇ હક્ક જ નથી. ત્યાં જે કંઈ થયું એ અંદરો અંદરની લડાઇ હતી, જેની પોલીસ તપાસ થઇ રહી છે. તેમાં ક્યાં કોઇ ભાજપવાળાના નામ છે જ નહી. ભાજપની કોઈ સંડોવણી જ નથી.
2/5

હાર્દિકના સાથી લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાનું નામ આપ્યું તે અંગે તેમણે જણાવ્યું કે, લલિત તો મારૂં જ નામ દેશે. એ જન્મ્યો ત્યારથી મારું જ નામ લે છે. પહેલાં હું એનો ગુરૂ હતો, હવે હાર્દિક તેનો ગુરૂ બની ગયો છે. આ કેસમાં લલિતનું ફરિયાદમાં નામ છે છતાં પોલીસે તેને પકડવાની હિંમત બતાવી નથી.
Published at : 24 Feb 2017 10:31 AM (IST)
View More























