નોંધનીય છે કે, જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની જીત બાદ ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. કમલમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જસદણની જીતને ભાજપની જીત ગણાવી હતી.
2/3
કુંવરજીએ આગળ કહ્યું કે, મને હરાવવા માટે કોંગ્રેસે મોટી ફોજ ઉતારી હતી તેમ છતાં સારી લીડથી મેં જીત મેળવી છે. માટે આ જીત પોતાની કે ભાજપની નહી પણ મારામાં વિશ્વાસ મુકનાર મારા પ્રજાજનોની જીત છે.
3/3
જસદણઃ જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાનો ભવ્ય વિજય થયો છે. કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને 19 હજાર કરતાં પણ વધારે મતથી હાર આપી હતી. આ જીત બાદ એક અખબારને ઇન્ટરવ્યૂ આપતા કુંવરજી બાવળીયાએ કહ્યું કે, આ જીત ભાજપની નહી પરંતુ તેમના પર વિશ્વાસ મુકનારા મતદારોની જીત ગણાવી હતી.