શોધખોળ કરો
રાજકોટઃ યુવકે કેમ કરી પોતાના જ માતા-પિતાની હત્યા? કારણ જાણીને ચોંકી ઉઠશો
1/12

જયદીપના બનેવી તેને સવારનો ફોન કરતા હતા, પરંતુ સાંજ સુધી જયદીપે તેના બનેવીનો ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના બનેવી જયદીપના ઘરે પહોંચી તપાસ કરી તો ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું. દરવાજાની બાજૂની બારીમાંથી જોતાં અંદર લાઈટ ચાલું હતી, જેથી બનેવીને શંકા જતાં તેણે કુટુંબીજનો અને આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરતા આજીડેમ પોલીસેનો કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
2/12

રાજકોટઃ કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા એક યુવાને પોતાના જ માતા અને પિતાની હત્યા નીપજાવી ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની આસપાસના રહીશો અને હત્યારા યુવકના બનેવીને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ એસીપી સહિતનો પોલીસ કાફલો આવી એફએસએલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 02 Dec 2016 11:05 AM (IST)
View More





















