શોધખોળ કરો
ટીમ ઈન્ડિયા નહીં ઓસ્ટ્રેલિયા છે જીતની પ્રબળ દાવેદાર, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ કરી આ વાત
1/4

એડિલેડઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ઓસ્ટ્રેલિયાના બે ધૂરંધર બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ટીમમાં ન હોવાથી ઘણા દિગ્ગજો ટીમ ઈન્ડિયા માટે આ વખતે જીત સરળ હશે તેમ માની રહ્યા છે. પરંતુ ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને આમ લાગતું નથી.
2/4

રહાણેએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઘર આંગણે દરેક ટીમ સારું રમે છે અને ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતવાની પ્રબળ દાવેદાર છે. તેમને સ્મિથ અને વોર્નરની ગેરહાજરી વર્તાશે પરંતુ તે નબળી ટીમ નથી. તેમનું બોલિંગ આક્રમણ ઘણું મજબૂત છે અને ટેસ્ટ ક્રિકેટમાં આ ખૂબ જરૂરી છે.
Published at : 04 Dec 2018 04:11 PM (IST)
View More





















