શોધખોળ કરો
ટી-20 મહિલા વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, હરમનપ્રીત કરશે કેપ્ટનશિપ
1/5

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અખિલ ભારતીય મહિલા પંસદગી સમિતિએ આજે આગામી મહિલા ટી-20 વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. સમિતિએ હરમનપ્રીત કૌરને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે. મિતાલી રાજ અને યુવા ખેલાડી જેમિમા રોડ્રિગ્સને પણ 15 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાંજ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી-20માં મિતાલી અને જેમિમાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
2/5

અનુભવી બોલર શિખા પાન્ડેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરની ટીમમાં વાપસી થઈ છે. છઠ્ઠા ટી-20 વર્લ્ડકપનું આયોજન વેસ્ટઇન્ડિઝમાં કરવામાં આવ્યું છે. જેની શરૂઆત 9 નવેમ્બરે 2018 થી થશે અને ફાઇમલ મેચ 24 નવેમ્બર 2018 રમાશે.
Published at : 28 Sep 2018 06:30 PM (IST)
View More





















