શોધખોળ કરો
વિરાટ કોહલીએ કોને આપેલું પ્રોમિસ પાળીને વર્લ્ડ કપની બધી મેચોની ટિકિટ મોકલી આપી?
વિરાટ કોહલીએ પોતાના હાથથી એક લેટર લખ્યો છે કે તેમને અને તેમના પરિવારને ટિકીટ મોકલી છે

બર્મિંઘમઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો વૃદ્ધ મહિલા ફેન ચારુલત્તા બેનને આપેલો વાયદો પુરો કર્યો છે. 87 વર્ષીય ફેન ચારુલત્તા બેનને બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની તમામ મેચોની ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી. હવે વિરાટ કોહલીએ પોતાના હાથથી એક લેટર લખ્યો છે કે તેમને અને તેમના પરિવારને ટિકીટ મોકલી છે. આ લેટર બીસીસીઆઇએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે.
બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવેલા લેટરમાં કોહલીએ લખ્યુ "પ્રિય ચારુલત્તાજી, અમારી ટીમ માટે તમારો પ્રેમ અને ઝનૂનને દેખવુ પ્રેરણાદાયક છે, અને મને આશા છે કે તમે તમારા પરિવારની સાથે મેચનો આનંદ લેશો."
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલીના ફેન ચારુલત્તા બેને ચિયર કર્યુ હતુ, મેચ બાદ વિરાટ કોહલીએ ચારુલત્તા બેનને ગળે મળીને, આગળની મેચોની તમામ ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી.
બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવેલા લેટરમાં કોહલીએ લખ્યુ "પ્રિય ચારુલત્તાજી, અમારી ટીમ માટે તમારો પ્રેમ અને ઝનૂનને દેખવુ પ્રેરણાદાયક છે, અને મને આશા છે કે તમે તમારા પરિવારની સાથે મેચનો આનંદ લેશો." Hello Charulata ji. #TeamIndia captain @imVkohli promised her tickets and our superfan is here with us is in Leeds.???? #CWC19 pic.twitter.com/lKqbVllLjc
— BCCI (@BCCI) July 6, 2019
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલીના ફેન ચારુલત્તા બેને ચિયર કર્યુ હતુ, મેચ બાદ વિરાટ કોહલીએ ચારુલત્તા બેનને ગળે મળીને, આગળની મેચોની તમામ ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી.
વધુ વાંચો





















