વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરીને ઓરેન્જ કેપ જીતી હતી, જે તેની પસંદગીનું મુખ્ય કારણ છે. તેણે રાજસ્થાન રોયલ્સને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?
IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરી ઓરેન્જ કેપ જીતનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે તેની પસંદગીનું સાચું કારણ જણાવતા તેના જોરદાર વખાણ કર્યા છે.

- 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં પસંદ થયો.
- IPL 2026 માં શાનદાર પ્રદર્શનથી તેણે ઓરેન્જ કેપ જીતી.
- અગરકરે પ્રેશરમાં તેની અદ્ભુત રમત, ટેમ્પરામેન્ટ વખાણ્યું.
Ajit Agarkar on Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ ટીમમાં એક નવો ઈતિહાસ રચાયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટેની ટીમમાં સીધું સ્થાન મળ્યું છે. IPL 2026 માં પોતાના બેટથી ધમાલ મચાવી ઓરેન્જ કેપ જીતનાર આ યુવા ખેલાડીની પસંદગી વિશે હવે BCCI ના ચીફ સિલેક્ટર અજિત અગરકરે મોટો ખુલાસો કર્યો છે. શનિવારે ભારતીય T20 ટીમની જાહેરાત થયા બાદ, અગરકરે જણાવ્યું કે કયા કારણોસર આટલી નાની ઉંમરે વૈભવ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
IPL ની શાનદાર સફર બની પસંદગીનું કારણ
પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા ચીફ સિલેક્ટર અજિત અગરકરે જણાવ્યું હતું કે, વૈભવને તેના શાનદાર પ્રદર્શનનું જ ઈનામ મળ્યું છે. IPL 2026 માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર વૈભવના વખાણ કરતા તેમણે કહ્યું, "અમે બધાએ જોયું છે કે આ છોકરો મેદાનમાં શું કરી શકે છે. તેણે એકલા હાથે રાજસ્થાન રોયલ્સને IPL ના પ્લેઓફમાં જીત અપાવી. આટલા યુવા ખેલાડી માટે મારે એ કહેવાની જરૂર જ નથી કે તે કેટલી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. માત્ર આ સિઝન જ નહીં, તેણે ગઈ સિઝનમાં પણ પોતાની પ્રતિભાની ઝલક બતાવી હતી."
અત્યંત પ્રેશરમાં પણ બતાવી અદભુત રમત
અગરકરે વધુમાં ઉમેર્યું, "વૈભવે સાબિત કરી દીધું છે કે IPL જેવા મોટા અને અત્યંત પ્રેશરવાળા સ્ટેજ પર તે કેટલો વિસ્ફોટક અને ખતરનાક બેટ્સમેન બની શકે છે. અમને તેના પર બહુ મોટી આશાઓ છે. ખરેખર, તેણે પોતાની રમતથી પોતાની જાતને બીજા કરતા સાવ અલગ જ સાબિત કરી દીધી છે. તેની ટેલેન્ટ આપણે સૌ જોઈ શકીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે જ્યારે તેને દેશ માટે રમવાની તક મળશે, ત્યારે પણ તે આવું જ દમદાર પ્રદર્શન કરશે."
આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
ટેમ્પરામેન્ટ જોઈને સિલેક્ટર્સ મજબૂર થયા
પોતાની વાત પૂરી કરતા મુખ્ય પસંદગીકારે કહ્યું કે, "તમારા દેશ માટે રમવું એ કોઈ સહેલી વાત નથી, આ એક મોટો પડકાર હોય છે. પણ આ 15 વર્ષના યુવાને જેવો સ્વભાવ (ટેમ્પરામેન્ટ) બતાવ્યો છે, તેનાથી જ અમે તેને પસંદ કરવા માટે મજબૂર થઈ ગયા. T20 ક્રિકેટમાં તે જે રીતે રમી રહ્યો છે, તે જોઈને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. સિલેક્ટર્સ, BCCI અને કોચિંગ સ્ટાફ તરીકે હવે અમારી જવાબદારી છે કે અમે તેને સાચી દિશામાં આગળ વધવામાં પૂરી મદદ કરીએ."
આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
Frequently Asked Questions
વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં શા માટે પસંદગી કરવામાં આવી?
વૈભવ સૂર્યવંશીની ઉંમર કેટલી છે અને તેને કઈ સીરીઝ માટે પસંદ કરાયો છે?
વૈભવ સૂર્યવંશીની ઉંમર માત્ર 15 વર્ષ છે. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યો છે.
ચીફ સિલેક્ટર અજિત અગરકરે વૈભવ વિશે શું કહ્યું?
અગરકરે જણાવ્યું કે વૈભવમાં અદભુત ટેમ્પરામેન્ટ અને વિસ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા છે, ખાસ કરીને દબાણ હેઠળ. તેમણે તેની પ્રતિભા અને દમદાર પ્રદર્શનની પ્રશંસા કરી.
IPL માં વૈભવ સૂર્યવંશીનો કયો દેખાવ તેની પસંદગીનું કારણ બન્યો?
તેણે IPL 2026 માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. આ પ્રદર્શનથી તેણે સાબિત કર્યું કે તે મોટા અને દબાણવાળા સ્ટેજ પર પણ ખતરનાક બેટ્સમેન બની શકે છે.



















