શોધખોળ કરો

15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?

IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરી ઓરેન્જ કેપ જીતનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે તેની પસંદગીનું સાચું કારણ જણાવતા તેના જોરદાર વખાણ કર્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં પસંદ થયો.
  • IPL 2026 માં શાનદાર પ્રદર્શનથી તેણે ઓરેન્જ કેપ જીતી.
  • અગરકરે પ્રેશરમાં તેની અદ્ભુત રમત, ટેમ્પરામેન્ટ વખાણ્યું.

Ajit Agarkar on Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ ટીમમાં એક નવો ઈતિહાસ રચાયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટેની ટીમમાં સીધું સ્થાન મળ્યું છે. IPL 2026 માં પોતાના બેટથી ધમાલ મચાવી ઓરેન્જ કેપ જીતનાર આ યુવા ખેલાડીની પસંદગી વિશે હવે BCCI ના ચીફ સિલેક્ટર અજિત અગરકરે મોટો ખુલાસો કર્યો છે. શનિવારે ભારતીય T20 ટીમની જાહેરાત થયા બાદ, અગરકરે જણાવ્યું કે કયા કારણોસર આટલી નાની ઉંમરે વૈભવ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

IPL ની શાનદાર સફર બની પસંદગીનું કારણ

પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા ચીફ સિલેક્ટર અજિત અગરકરે જણાવ્યું હતું કે, વૈભવને તેના શાનદાર પ્રદર્શનનું જ ઈનામ મળ્યું છે. IPL 2026 માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર વૈભવના વખાણ કરતા તેમણે કહ્યું, "અમે બધાએ જોયું છે કે આ છોકરો મેદાનમાં શું કરી શકે છે. તેણે એકલા હાથે રાજસ્થાન રોયલ્સને IPL ના પ્લેઓફમાં જીત અપાવી. આટલા યુવા ખેલાડી માટે મારે એ કહેવાની જરૂર જ નથી કે તે કેટલી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. માત્ર આ સિઝન જ નહીં, તેણે ગઈ સિઝનમાં પણ પોતાની પ્રતિભાની ઝલક બતાવી હતી."

અત્યંત પ્રેશરમાં પણ બતાવી અદભુત રમત

અગરકરે વધુમાં ઉમેર્યું, "વૈભવે સાબિત કરી દીધું છે કે IPL જેવા મોટા અને અત્યંત પ્રેશરવાળા સ્ટેજ પર તે કેટલો વિસ્ફોટક અને ખતરનાક બેટ્સમેન બની શકે છે. અમને તેના પર બહુ મોટી આશાઓ છે. ખરેખર, તેણે પોતાની રમતથી પોતાની જાતને બીજા કરતા સાવ અલગ જ સાબિત કરી દીધી છે. તેની ટેલેન્ટ આપણે સૌ જોઈ શકીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે જ્યારે તેને દેશ માટે રમવાની તક મળશે, ત્યારે પણ તે આવું જ દમદાર પ્રદર્શન કરશે."

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

ટેમ્પરામેન્ટ જોઈને સિલેક્ટર્સ મજબૂર થયા

પોતાની વાત પૂરી કરતા મુખ્ય પસંદગીકારે કહ્યું કે, "તમારા દેશ માટે રમવું એ કોઈ સહેલી વાત નથી, આ એક મોટો પડકાર હોય છે. પણ આ 15 વર્ષના યુવાને જેવો સ્વભાવ (ટેમ્પરામેન્ટ) બતાવ્યો છે, તેનાથી જ અમે તેને પસંદ કરવા માટે મજબૂર થઈ ગયા. T20 ક્રિકેટમાં તે જે રીતે રમી રહ્યો છે, તે જોઈને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. સિલેક્ટર્સ, BCCI અને કોચિંગ સ્ટાફ તરીકે હવે અમારી જવાબદારી છે કે અમે તેને સાચી દિશામાં આગળ વધવામાં પૂરી મદદ કરીએ."

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં શા માટે પસંદગી કરવામાં આવી?

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરીને ઓરેન્જ કેપ જીતી હતી, જે તેની પસંદગીનું મુખ્ય કારણ છે. તેણે રાજસ્થાન રોયલ્સને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

વૈભવ સૂર્યવંશીની ઉંમર કેટલી છે અને તેને કઈ સીરીઝ માટે પસંદ કરાયો છે?

વૈભવ સૂર્યવંશીની ઉંમર માત્ર 15 વર્ષ છે. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ચીફ સિલેક્ટર અજિત અગરકરે વૈભવ વિશે શું કહ્યું?

અગરકરે જણાવ્યું કે વૈભવમાં અદભુત ટેમ્પરામેન્ટ અને વિસ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા છે, ખાસ કરીને દબાણ હેઠળ. તેમણે તેની પ્રતિભા અને દમદાર પ્રદર્શનની પ્રશંસા કરી.

IPL માં વૈભવ સૂર્યવંશીનો કયો દેખાવ તેની પસંદગીનું કારણ બન્યો?

તેણે IPL 2026 માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. આ પ્રદર્શનથી તેણે સાબિત કર્યું કે તે મોટા અને દબાણવાળા સ્ટેજ પર પણ ખતરનાક બેટ્સમેન બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget