શોધખોળ કરો

Rohit Sharma Asia Cup: હોંગકોંગ વિરુદ્ધ જીત મેળવતા જ રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, ધોનીને પાછળ છોડી દેશે

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવીને અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવીને અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. હવે ભારતીય ટીમ 31 ઓગસ્ટ (બુધવાર)ના રોજ હોંગકોંગ સામેની મેચ જીતીને સુપર-ફોરમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરશે. હોંગકોંગ સામેની મેચમાં તમામની નજર રોહિત શર્મા પર રહેશે જે અનોખો રેકોર્ડ બનાવી શકે છે.

પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ રોહિતને કેપ્ટન તરીકે એશિયા કપમાં છઠ્ઠી જીત મળી હતી. અગાઉ, રોહિત સિવાય એમએસ ધોની અને મોઇન ખાને કેપ્ટન તરીકે એશિયા કપના ઇતિહાસમાં સતત છ જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ હોંગકોંગ સામે જીતશે તો રોહિત શર્મા પાકિસ્તાનના મોઇન ખાન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીને પાછળ છોડી દેશે.

રોહિતની કેપ્ટનશીપમાં 2018માં ખિતાબ જીત્યો હતો

નોંધનીય છે કે 2018 એશિયા કપમાં ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં સતત પાંચ મેચ જીતી હતી. માત્ર ભારતીય ટીમની અફઘાનિસ્તાન સામેની મેચ ટાઈ રહી હતી જ્યાં એમએસ ધોનીએ ટીમની કમાન સંભાળી હતી. 2018ના એશિયા કપમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

કોહલીને પાછળ છોડવાની તક

રોહિત શર્માએ અત્યાર સુધી 36 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેણે 30 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા હોંગકોંગ સામે જીત નોંધાવવામાં સફળ થાય છે, તો કેપ્ટન તરીકે T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માની આ 31મી જીત હશે. આ સાથે રોહિત સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડીને T20 ઈન્ટરનેશનલમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની જશે.

વિરાટ કોહલીએ 50 T20 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી, જેમાં ભારતે 30 મેચ જીતી હતી. મહત્વપૂર્ણ છે કે, એમએસ ધોની ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. એમએસ ધોનીએ 72 ટી-20 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારતે 41 મેચ જીતી હતી.

સિનિયર ખેલાડીઓ ફોર્મમાં પરત ફરવા માંગશે

ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ હોંગકોંગ સામેની રમતમાં ફરીથી ફોર્મ મેળવવા ઈચ્છશે. કેએલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન સામે સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી પણ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. તેથી, આ ત્રણેય ખેલાડીઓ માટે હોંગકોંગ સામે ફોર્મ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભારત આર.અશ્વિન જેવા ખેલાડીને હોંગકોંગ સામે અજમાવી શકે છે. અવેશ ખાનને પડતો મુકવામાં આવી શકે છે અને અશ્વિનને તક આપવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget