શોધખોળ કરો

Bangalore Stampede: 'RCBની ઇવેન્ટમાં અમારી કોઇ ભૂમિકા નથી પરંતુ...', બેંગલુરુ ભાગદોડ પર BCCIનું નિવેદન

Bangalore Stampede Chinnaswamy Stadium: ભાગદોડમાં 11 લોકોનાં મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Bangalore Stampede Chinnaswamy Stadium: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ઐતિહાસિક વિજયની ઉજવણી પહેલા બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી. ભાગદોડમાં 11 લોકોનાં મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દરેક વ્યક્તિએ આવી ઘટનાઓમાંથી પાઠ શીખવો જોઈએ.

BCCI નિયમો બનાવવાનું વિચારી રહ્યું છે

દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે આ ઘટનામાં કેટલીક ભૂલો થઈ છે. જોકે BCCIનો આ RCB ઇવેન્ટ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ તેમ છતાં આપણે તેમાંથી પાઠ શીખવો જોઈએ.' તેમણે વધુમાં કહ્યું કે BCCI હવે આવા વિજય ઉજવણી અંગે કેટલાક નવા નિયમો બનાવવાનું વિચારી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાનું નિવેદન

અકસ્માત પર BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે જે પણ મદદ થઇ શકશે અમે તે ચોક્કસ કરીશું. હું કર્ણાટક સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યો છું. અમે BCCI સ્તરે પણ આ મુદ્દા પર ગંભીરતાથી વાત કરી રહ્યા છીએ. આ દુ:ખદ ઘટના પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. આવી ઘટનાઓ ગમે ત્યાં બની શકે છે, તેથી તેનો ઉકેલ સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે.

તેમણે કહ્યું કે હું મારી ફ્રેન્ચાઇઝી, કર્ણાટક સરકાર અને પોલીસ અધિકારીઓના સંપર્કમાં છું. દરેક વ્યક્તિ પરિસ્થિતિને સંભાળવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં રોકાયેલ છે. રાજીવ શુક્લાએ કહ્યું, ક્રિકેટ એક રમત છે, તેમાં રાજકારણ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે IPL જેવી લીગમાં આવી ઘટના બનશે. અમે બધા અસરગ્રસ્ત પરિવારો સાથે છીએ અને શક્ય તેટલી મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.

ઘટના સંબંધિત કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ બેકાબૂ થઈ ગઈ અને પાર્ક કરેલી કાર પર ચઢી ગઈ હતી. આ દરમિયાન કારને ખરાબ રીતે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલાએ ભીડ નિયંત્રણ, કાર્યક્રમની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે

હજારો RCB ચાહકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજેતા ખેલાડીઓની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન લોકો ગટર પર મૂકવામાં આવેલા કામચલાઉ સ્લેબ પર ચઢી ગયા હતા.

કાર્યક્રમ અને ભીડ નિયંત્રણ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા RCB ખેલાડીઓના સન્માનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ જોવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે, એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કાર્યક્રમ પહેલા સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સ્થળ પર ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતા પોલીસ જવાનો અને બેરિકેડિંગ જેવી વ્યવસ્થા નહોતી, જેના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ અને દુર્ઘટના સર્જાઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ
Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ
IPL 2026 પહેલા હાર્દિક પંડ્યાએ વાનખેડેના ગ્રાઉન્ડ સ્ટાફને કેમ આપ્યા લાખોના ચેક? રસપ્રદ છે કારણ
IPL 2026 પહેલા હાર્દિક પંડ્યાએ વાનખેડેના ગ્રાઉન્ડ સ્ટાફને કેમ આપ્યા લાખોના ચેક? રસપ્રદ છે કારણ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget