શોધખોળ કરો

IND vs AUS: હજુ સુધી અમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કરવા કેમ નથી આવ્યો શ્રેયસ અય્યર ? સામે આવ્યું ચોંકાવનારુ કારણ

શ્રેયસ અય્યર હજુ સુધી બેટિંગ કરવા નથી આવી રહ્યો તેને લઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે, અને દરેક લોકો જાણવા માંગે છે કે, આ છેવટે થયુ શું છે ?

India vs Australia, 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં અત્યારે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી છે. ચોથા દિવસે છે અને હજુ સુધી પ્રથમ ઇનિંગ જ રમાઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ વાત સામે આવી છે. ભારતીય ટીમની એક પછી એક વિકેટો પડી રહી છે, પરંતુ હજુ સુધી સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર બેટિંગ કરવા મેદાનમાં નથી આવ્યો. 

શ્રેયસ અય્યર હજુ સુધી બેટિંગ કરવા નથી આવી રહ્યો તેને લઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે, અને દરેક લોકો જાણવા માંગે છે કે, આ છેવટે થયુ શું છે ? હવે આનો જવાબ ખુદ બીસીસીઆઇએ આપ્યો છે.  

શ્રેયસ અય્યરને લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા અપડેટમાં બતાવવામાં આવ્યુ છે કે, ત્રીજા દિવસની રમત બાદ શ્રેયસ અય્યરને પીઠમાં દુઃખાવો થયો હતો, જેના કારણે તેને અત્યારે મેડિકલ ટીમની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. ચોથા દિવસે પણ હજુ શ્રેયસ અય્યર મેદાનમાં નથી આવ્યો, અને તેના મેદાનમાં આવવાના ચાન્સ પણ બહુ ઓછા છે. શ્રેયસ અય્યરને અત્યારે સ્કેન માટે લઇ જવામાં આવ્યો છે. 

હવે બીસીસીઆઇના અપડેટ બાદ સંશય બનેલો છે કે શું શ્રેયસ અય્યર ચોથી ટેસ્ટમાં આગળ રમશે કે નહીં. જો તે નથી રમતો તે ટીમ ઇન્ડિયા માટે મોટુ નુકશાન સાબિત થઇ શકે છે. 

પહેલી ટેસ્ટમાં પણ નહતો રમી શક્યો શ્રેયસ અય્યર -
આ ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં પણ શ્રેયસ અય્યર પીઠની સમસ્યાના કારણે ન હતો રમી શક્યો. જે પછી NCA એ જ્યારે તેને સીરીઝની બીકીની ટેસ્ટ મેચ રમવા માટે પુરેપુરી રીતે ફિટ જાહેર કર્યો હતો, તો તે દિલ્હી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બન્યો હતો. હવે ચોથી ટેસ્ટમાં ફરી એકવાર તે સમસ્યાનો શિકાર બન્યો છે. 

 

Virat Kohli Century: 1204 દિવસ બાદ વિરાટની સદી, ટેસ્ટમાં ફટકારી પોતાની 28મી સેન્ચૂરી

વિરાટ કોહલીનું 28મી ટેસ્ટ શતક  -
વિરાટ કોહલીની આ ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી છે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે 7મી વાર ત્રણ અંકોના સ્કૉર સુધી પહોંચ્યો છે. ચોથા દિવસે વિરાટે 241 બૉલમાં પોતાની સદી પુરી કરી, આ દરમિયાન તેને માત્ર 5 જ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત તેને તમામ રન દોડીને લીધા હતા. 

વિરાટ કોહલીની આ સદી ત્રણ વર્ષ બાદ અને 41 ઇનિંગના ઇન્તજાર બાદ આવી હતી. વિરાટે પોતાની 27મી સદી અને 28મી સદી વચ્ચે કુલ 41 ઇનિંગ રમી હતી, આ પછી તેને સદી ઠોકી હતી. જોકે, આ પહેલા તેને અફઘાનિસ્તાન વિરુ્દ્ધ ટી20માં અને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટે વનડેમાં બે સેન્ચૂરી ઠોકી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget