શોધખોળ કરો

IPL 2023: IPLમાં રમતો જોવા મળશે ઇગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ, ઓક્શનમાં આપી શકે છે પોતાનું નામ

એક રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન જો રૂટ IPLમાં રમવા માંગે છે

Joe Root on IPL: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 માટે 23 ડિસેમ્બરે મીની હરાજી થવા જઈ રહી છે. આ હરાજી કોચીમાં થશે. બીજી તરફ જેમ જેમ હરાજીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેને લગતા મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન જો રૂટ IPLમાં રમવા માંગે છે. રૂટ પણ આઈપીએલમાં સામેલ થવા માટે પોતાનું નામ હરાજીમાં મૂકવાની યોજના બનાવી રહ્યો છે.

જો રૂટ IPL રમવા માંગે છે

ઈંગ્લેન્ડ ટીમના અનુભવી બેટ્સમેન જો રૂટે ડેઈલી મેલ સાથે વાત કરતા આઈપીએલ 2023માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રૂટે કહ્યું કે 'તે IPLમાં રમવાનું વિચારી રહ્યો છે, તેને આ ટૂર્નામેન્ટમાં એક્સપોઝર મળવાની આશા છે. જો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવાની તક મળે છે તો તે ઘણું સારું રહેશે. રૂટે એમ પણ કહ્યું કે તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી20થી અલગ થઈ ગયો છે, તેણે ઘણી ટી20 મેચ રમી નથી.

જોકે રૂટ આઈપીએલ 2023 માટે મિની ઓક્શનમાં પોતાનું નામ આપવા પર વિચાર કરી રહ્યો છે. રૂટની ગણના વર્તમાન વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં થાય છે. આવી સ્થિતિમાં જો રૂટ IPL ઓક્શનમાં પોતાનું નામ આપે છે તો ઘણી ટીમો તેના પર મોટી બોલી લગાવી શકે છે.

2018માં અનસોલ્ડ રહ્યો હતો જો રૂટ

આ પહેલીવાર નથી જ્યારે ઈંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટે આઈપીએલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હોય. આ પહેલા પણ વર્ષ 2018માં તેણે આઇપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું હતું. જો કે, તે સમયે કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ જો રૂટમાં રસ દાખવ્યો ન હતો અને તે હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. જો કે હવે ફરી એકવાર રૂટ હરાજીમાં પોતાનું નામ આપવાનું વિચારી રહ્યો છે. રૂટ પણ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે ઘણી ફ્રેન્ચાઈઝી તેના પર બોલી લગાવી શકે છે.

રાજસ્થાન રોયલ્સે જિમ્મી નીશમ સહિત આ ખેલાડીઓને કર્યા રિલીઝ, અહીં જુઓ ફાઈનલ લિસ્ટ

IPL 2023 Retention, Rajasthan Royals: IPL ઓક્શન 2023 પહેલા રાજસ્થાન રોયલ્સે 9 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તે જ સમયે, IPL 2022 ના રનર અપે તેના 16 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલ અને જિમ્મી નીશમ જેવા ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સ દ્વારા રિલીઝ કરવામાં  આવ્યા છે. ખરેખર, IPL ઓક્શન 2023 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. અગાઉ, તમામ ટીમોએ 15 નવેમ્બર સુધીમાં BCCIને તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી આપવાની હતી.

રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને કર્યા રીટેન

અનુનય સિંઘ, કોર્બીન બોશ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, કરુણ નાયર, નાથન કુલ્ટર-નાઈલ, રસી વાન ડેર ડુસેન, શુભમ ગઢવાલ, તેજસ બરોકા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget