શોધખોળ કરો

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

India vs England T20: ઈંગ્લેન્ડ સામે 125 રનની શરમજનક હાર બાદ કોચ ગંભીરે ખેલાડીઓનો બચાવ કરતા કહ્યું- 'ટીમ અત્યારે રિસેટ મોડમાં છે'.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક, 'રિસેટ તબક્કામાં'.
  • કોચ ગંભીરે હારનું કારણ 'ગેમ અવેરનેસ' નો અભાવ ગણાવ્યો.
  • યુવા ટીમને પરિણામોથી માપવી અન્યાયી, અનુભવ જરૂરી છે.
  • મુશ્કેલ સમયમાં પ્રિન્સ યાદવના પ્રદર્શનને ગંભીરે બિરદાવ્યું.

Team India Reset Phase: ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચમાં 125 રનથી મળેલી કારમી હાર અને સળંગ 4 મેચ ગુમાવ્યા બાદ, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આખરે પોતાનું મૌન તોડ્યું છે. ગંભીરે આ નબળા પ્રદર્શન અંગે ખુલીને વાત કરતા સ્વીકાર્યું છે કે ટીમ હાલમાં 'રિસેટ' (નવેસરથી તૈયાર થવા) ના તબક્કામાંથી પસાર થઈ રહી છે. જોકે, તેમણે ટીમની હાર પાછળ ખરાબ ફોર્મ કે બિનઅનુભવી હોવા કરતાં 'ગેમ અવેરનેસ' (રમત પ્રત્યેની જાગૃતિ) ના અભાવને સૌથી મોટી નબળાઈ ગણાવી છે.

માત્ર પરિણામોથી ટીમનું આકલન કરવું યોગ્ય નથી

ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન યુવા ટીમની સરખામણી T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે કરવી એ ખેલાડીઓ પર અન્યાય સમાન છે. ટીમનો કેપ્ટન નવો છે, ઓપનિંગ જોડી નવી છે અને હાર્દિક પંડ્યા તથા જસપ્રીત બુમરાહ જેવા મેચ વિનર અને અનુભવી ખેલાડીઓ હાલ ટીમનો ભાગ નથી. કોચે કહ્યું, "જ્યારે કોઈ ટીમને ફરીથી સેટ કરવામાં આવે છે, ત્યારે તેને પરિપક્વ થવા થોડો સમય આપવો પડે છે. અત્યારે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરી રહ્યો છે, પ્રિન્સ યાદવ પોતાની બીજી જ T20 રમી રહ્યો છે અને હર્ષિત રાણા ઈજામાંથી પરત ફરી રહ્યો છે. આ સ્થિતિમાં માત્ર મેચના પરિણામો જોઈને આખી પરિસ્થિતિનું મૂલ્યાંકન ન કરી શકાય."

ખેલાડીઓ થાપ ક્યાં ખાઈ રહ્યા છે?

હારનું મુખ્ય કારણ જણાવતા ગંભીરે કહ્યું કે સમસ્યા ખેલાડીઓની ટેકનિકમાં નહીં, પરંતુ તેમની વિચારસરણી અને નિર્ણયો લેવાની ક્ષમતામાં છે. ભારતીય ખેલાડીઓ મેચ દરમિયાન મેદાનની પરિસ્થિતિઓને યોગ્ય રીતે વાંચવામાં સતત નિષ્ફળ રહ્યા છે. બેટ્સમેન અને બોલરોએ એ સમજવું પડશે કે પિચ કેવો વર્તાવ કરી રહી છે, પવનની દિશા કઈ છે, મેદાનનો કયો ભાગ મોટો છે અને કયા સમયે જોખમ લેવું યોગ્ય છે. T20 ક્રિકેટમાં આ નાની-નાની બાબતો આખી મેચનું પરિણામ બદલી નાખે છે. કોચે ભારપૂર્વક કહ્યું કે, આયર્લેન્ડ પ્રવાસથી લઈને અત્યાર સુધી આપણે પરિસ્થિતિ મુજબ ઢળી શક્યા નથી, જો આપણે પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શક્યા હોત તો સળંગ 4 મેચ ન હાર્યા હોત.

આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

76 રનમાં ઓલઆઉટ થયા છતાં ડર નથી

ત્રીજી T20 માં ભારતીય ટીમ માત્ર 76 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી હાર છે. આમ છતાં, ગંભીરે આને કાયમી નબળાઈ માનવાનો ઇનકાર કર્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે અગાઉની 2 મેચમાં ભારતીય બેટ્સમેનોએ લગભગ 190 રન બનાવ્યા હતા. ટીમ અત્યારે આક્રમક અને હાઈ-રિસ્ક ક્રિકેટ રમી રહી છે, જેમાં ક્યારેક આવા ખરાબ દિવસો આવવા સ્વાભાવિક છે. ગંભીર માને છે કે યુવા ખેલાડીઓને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે સતત રમાડવાથી જ ભવિષ્યની મજબૂત ટીમનું ઘડતર થશે, ભલે તેમાં શરૂઆતમાં કેટલીક હારનો સામનો કરવો પડે.

પ્રિન્સ યાદવના કર્યા વખાણ

ટીમના કંગાળ બેટિંગ પ્રદર્શન વચ્ચે પણ ગંભીરે યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવના વખાણ કર્યા હતા. પ્રિન્સે પાવરપ્લે અને ડેથ ઓવર્સના મુશ્કેલ સમયમાં શાનદાર બોલિંગ કરીને 2 વિકેટ ઝડપી હતી. ગંભીરે કહ્યું કે ખેલાડીઓને માત્ર આંકડાથી ન માપવા જોઈએ, પ્રિન્સે કયા દબાણવાળા સમયે બોલિંગ કરી તે જોવું પણ એટલું જ મહત્વનું છે. યુવા ઝડપી બોલરનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે.

હાલમાં ભારત 5 મેચની T20 શ્રેણીમાં 0-2 થી પાછળ છે. હવે આગામી મેચમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર કમબેક કરવાનો જ નહીં, પરંતુ ગૌતમ ગંભીરનો આ 'રિસેટ પ્લાન' વર્તમાન ટીમને જીત તરફ દોરી જશે તે સાબિત કરવાનો પણ મોટો પડકાર રહેશે.

આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

Frequently Asked Questions

ભારતીય ક્રિકેટ ટીમ હાલ કયા તબક્કામાંથી પસાર થઈ રહી છે?

કોચ ગૌતમ ગંભીરના મતે ભારતીય ટીમ હાલ 'રિસેટ' તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઈંગ્લેન્ડ સામેના નબળા પ્રદર્શન બાદ તેમણે આ વાત સ્વીકારી છે.

ટીમ ઈન્ડિયાના નબળા પ્રદર્શનનું મુખ્ય કારણ ગૌતમ ગંભીરે શું જણાવ્યું?

ગંભીરના મતે, ખરાબ ફોર્મ કે બિનઅનુભવી હોવા કરતાં 'ગેમ અવેરનેસ' (રમત પ્રત્યેની જાગૃતિ) નો અભાવ મુખ્ય નબળાઈ છે. ખેલાડીઓ મેદાનની પરિસ્થિતિઓને યોગ્ય રીતે વાંચી શકતા નથી.

ગૌતમ ગંભીર વર્તમાન ટીમના પ્રદર્શનનું મૂલ્યાંકન કેવી રીતે કરવા માગે છે?

તેમણે કહ્યું કે માત્ર મેચના પરિણામો જોઈને મૂલ્યાંકન ન કરી શકાય. આ યુવા ટીમની સરખામણી T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે કરવી અન્યાય સમાન છે, કેમ કે ઘણા અનુભવી ખેલાડીઓ ગેરહાજર છે.

ભારતીય ટીમ 76 રનમાં ઓલઆઉટ થવા છતાં ગૌતમ ગંભીરનો શું દૃષ્ટિકોણ હતો?

ગંભીરે તેને કાયમી નબળાઈ માનવાનો ઇનકાર કર્યો. તેમણે જણાવ્યું કે ટીમ આક્રમક અને હાઈ-રિસ્ક ક્રિકેટ રમી રહી છે, જેમાં આવા ખરાબ દિવસો આવવા સ્વાભાવિક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget