શોધખોળ કરો

IND vs BAN 2nd Test: કુલદીપ-અક્ષરને મળશે તક? સિરાજની થશે બહાર, આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ XI

India vs Bangladesh 2nd Test: ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માંગશે. આવા સંજોગોમાં કાનપુરની પિચને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની અપેક્ષા છે.

IND vs BAN 2nd Test Predicted Playing XI: ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ મેચ ભારતે સરળતાથી જીતી લીધી હતી. હવે ભારતીય ટીમ કાનપુર પહોંચી ગઈ છે, જ્યાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમવાની છે. ભારતીય ટીમે 2012માં ઇંગ્લેન્ડ સામે મળેલી હાર પછીથી ઘરેલુ મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું છે અને કાનપુરમાં પણ આ લય જાળવી રાખવાની આશા છે. પરંતુ ધીમી અને નીચી પિચ પર બાંગ્લાદેશના સ્પિન બોલર શાકિબ અલ હસન, મેહદી હસન મિરાજ અને તૈજુલ ઇસ્લામ ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આવા સંજોગોમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીરને તેમની રણનીતિમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડી શકે છે.

કુલદીપને મળી શકે છે તક

રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ટીમના બે મુખ્ય સ્પિનર છે અને તેમનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવને અક્ષર પટેલ કરતાં પ્રાથમિકતા આપી શકાય છે. કુલદીપની લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિન અને બાંગ્લાદેશ સામે તેમના શાનદાર પ્રદર્શનને જોતાં તેમને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

સિરાજને મળી શકે છે બ્રેક

ફાસ્ટ બોલિંગ વિભાગમાં મોહમ્મદ સિરાજને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. સિરાજે તાજેતરમાં તેની લાઇન અને લેન્થમાં સુધારો કર્યો છે, પરંતુ ચેન્નાઈ ટેસ્ટમાં આકાશદીપે વધુ સારું પ્રદર્શન કર્યું હતું. આકાશની ઝડપ અને ચોકસાઈએ પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે અને તેમને આ મેચમાં રમવાની તક મળી શકે છે.

બેટિંગ ઓર્ડર રહેશે સ્થિર

ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં ફેરફારની સંભાવના ઘણી ઓછી છે. શુભમન ગિલ, યશસ્વી જયસવાલ અને વિકેટકીપર ઋષભ પંતે પહેલી ટેસ્ટમાં અર્ધસદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ અપેક્ષાઓ પર ખરા ન ઉતર્યા. આમ છતાં ટીમમાં તેમનું સ્થાન નક્કી છે.

બાંગ્લાદેશ સામે ભારતની સંભવિત પ્લેઇંગ XI

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આકાશદીપ, જસપ્રીત બુમરાહ.

આ પણ વાંચોઃ

BCCI એ ટીમની જાહેરાત કરી દીધી, ઋતુરાજ ગાયકવાડ બન્યા કેપ્ટન; ઈશાન કિશનને પણ મળ્યો મોકો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.