![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ind vs Eng, 5th Test:આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ
આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાશે. ભારત 5 મેચની સિરીઝમાં 2-1થી આગળ છે.
![Ind vs Eng, 5th Test:આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ Ind vs Eng 2021: India to play against England in Fifth test at Manchester Stadium, get to know when and where to watch Ind vs Eng, 5th Test:આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/69f527b671cbe3dce4982b2ba4ea8173_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાશે. ભારત 5 મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. દર્શકો 5મી ટેસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં જો માનચેસ્ટર ટેસ્ટ ડ્રો રહી અથવા ટીમ ઈન્ડિયા જીતવામાં સફળ રહી તો 2007 પછી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહેશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ ઉછાળવામાં આવશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સોની નેટવર્કની ચેનલ પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. જ્યારે જિયો ટીવી પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામે તારીખ ૧૦મી સપ્ટેમ્બરથી શરૃ થઈ રહેલી પાંચમી અને આખરી ટેસ્ટ મેચ પહેલા ફિટ થઈ ગયો છે. જ્યારે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ટીમ ઈન્ડિયાના બંને દિગ્ગજ બેટ્સમેનોને જૂની ઈજા સતાવી રહી છે. જોકે પૂજારા માંચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડે પણ ચોથી ટેસ્ટની શરમજનક હાર બાદ માંચેસ્ટરમાં બરોબરી મેળવવા માટે કમર કસી છે.
આવતીકાલથી શરૂ થતી પાંચમી અને નિર્ણાયક મેચ માટે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ફિટ નહીં હોય તો તેમના સ્થાને મયંક અગ્રવાલ અને સૂર્યકુમાર યાદવને સમાવવામાં આવી શકે છે. જ્યારે કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારીને તક આપવામાં આવી છે. જ્યારે બોલિંગમાં મોહમ્મદ સિરાજના સ્થાને શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
પાંચમી ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમ
કેએલ રાહુલ, રોહિત શર્મા/મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા/સૂર્યકુમાર યાદવ., વિરાટ કોહલી, અજિંકય રહાણે/હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ ચાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે અને 3 વાગે ટોસ થશે.
માંચેસ્ટરમાં કેવો છે ભારતનો રેકોર્ડ
માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા 1936થી રમે છે. ભારતીય ટીમ અહીંયા અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ચાર મુકાબલામાં હાર થઈ છે, જ્યારે 5 મેચ ડ્રો થઈ છે. એટલે કે 85 વર્ષથી ભારત આ મેદાન પર જીતી શક્યું નથી.
યજમાન ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં આ મેદાન પર કુલ 81 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી 31 મેચમાં જીત અને 15માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 35 મેચ ડ્રો રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)