શોધખોળ કરો

IND vs ENG: 'કરો યા મરો' મેચ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ 3 ખેલાડીઓ થયા ઘાયલ

IND vs ENG 4th Test: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ શુભમન ગિલ અને ટીમ માટે 'કરો યા મરો' જેવી છે. જો ઇંગ્લેન્ડ જીતશે તો ભારત આ શ્રેણી હારી જશે.

IND vs ENG 4th Test: ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટર (ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ) માં રમાશે, જે યજમાન ટીમ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવા માંગશે. શુભમન ગિલ એન્ડ કંપની માટે આ 'કરો યા મરો' મેચમાં મોટો ઝટકો લાગ્યો છે, અર્શદીપ સિંહ બહાર થઈ ગયો છે. આકાશ દીપના રમવા પર શંકા છે.

તો બીજી તરફ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ પહેલા ભારતીય ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી મેચ રમાશે, જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં અર્શદીપના ટેસ્ટ ડેબ્યૂની જાણ કરવામાં આવી હતી. મોહમ્મદ સિરાજની જગ્યાએ તેને મેચમાં તક આપી શકાય હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગુરુવારે નેટ સેશન દરમિયાન ફાસ્ટ બોલરને હાથ પર ઈજા થઈ છે. સાઈ સુદર્શન દ્વારા ફટકારવામાં આવેલા બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે ઘાયલ થયો હતો. ફિઝિયોથેરાપિસ્ટ તેના હાથને ટાંકા મારતા જોવા મળ્યા હતા અને હવે એવું લાગે છે કે આ ઈજા તેને થોડા સમય માટે બહાર કરી દેશે.

અખબારે એક સૂત્રને ટાંકીને કહ્યું કે, "તેના હાથમાં ટાંકા આવ્યા છે અને તે ચોથી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં, ભારતીય ટીમ જોશે કે તે પાંચમી ટેસ્ટ માટે તૈયાર છે કે નહીં." ભારતના સહાયક કોચ, રાયન ટેન ડોશેટે અગાઉ કહ્યું હતું કે, "બોલિંગ કરતી વખતે અર્શદીપને બોલ વાગ્યો હતો, સાઈને બોલ વાગ્યો હતો અને તેણે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તે ફક્ત એક કટ છે. આપણે જોવું પડશે કે કટ કેટલો ઉંડો છે. સ્વાભાવિક છે કે, મેડિકલ ટીમ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ છે અને તેને ટાંકા લેવાની જરૂર છે કે નહીં, તે આગામી થોડા દિવસો માટે અમારા આયોજન માટે મહત્વપૂર્ણ રહેશે."

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આકાશ દીપ પણ કમરના સ્નાયુઓમાં ખેંચાણને કારણે ટેસ્ટ માટે શંકાસ્પદ છે. જ્યારે તેઓ માન્ચેસ્ટર જવા રવાના થયા ત્યારે ટીમના નેટ સત્રમાં આ ઝડપી બોલરે બોલિંગ કરી ન હતી.

ઈજાથી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી

ભારત શ્રેણીમાં 2-1થી પાછળ છે અને ઇજાઓથી પ્રભાવિત થવાનો આ સૌથી ખરાબ સમય છે. જોકે અર્શદીપે હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી, તે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે રોટેટ કરવા માટે વધુ સારો વિકલ્પ હતો. આ દરમિયાન, જો આકાશ દીપને પણ બહાર કરવામાં આવે છે, તો ભારતે પ્રસીદ્ધ કૃષ્ણા પાસે પાછા ફરવું પડશે, જે પ્રથમ બે ટેસ્ટમાં અસહજ દેખાતો હતો. તેણે ચાર ઇનિંગ્સમાં છ વિકેટ લીધી. કુલદીપ યાદવ બીજો વિકલ્પ છે પરંતુ સ્પિનર હાલમાં કોચ ગૌતમ ગંભીરની રણનીતિમાં હોય તેવું લાગતું નથી.

ઋષભ પંત ઈજા પણ ટીમ માટે ચિંતાનું કારણ

ભારત પહેલાથી જ ઋષભ પંતની ઉપલબ્ધતા અંગે ચિંતિત છે. લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતી વખતે ડાબા હાથના વિકેટકીપરને આંગળીમાં ઈજા થઈ હતી. ટેન ડોશેટે કહ્યું કે જો તે વિકેટકીપિંગ ન કરી શકે તો તે બેટ્સમેન તરીકે રમશે, પરંતુ તેનો અર્થ એ થશે કે ભારતે કોઈક રીતે ધ્રુવ જુરેલને ટીમમાં લાવવો પડશે, અને એક બેટ્સમેનને બહાર રાખવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget