શોધખોળ કરો

IND vs SA: 16 વર્ષ પહેલા ભારતે રમી હતી પ્રથમ T20, ત્યારે પણ હતો ટીમ ઈન્ડિયાનો હિસ્સો અને આજે પણ છે, જાણો કોણ છે આ ખેલાડી

Team India, Dinesh Karthik ભારતે તેની પ્રથમ ટી20 મેચ 1 ડિસેમ્બર 2006ના રોજ રમી હતી. અત્યાર સુધીમાં ભારત 159 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યું છે.

(મોહમ્મદ વાહિદ)

Team India, Dinesh Karthik, IND vs SA T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. ભારતે તેની પ્રથમ ટી20 મેચ 1 ડિસેમ્બર 2006ના રોજ રમી હતી. અત્યાર સુધીમાં ભારત 159 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યું છે. રસપ્રદ વાત એ છે કે, દિનેશ કાર્તિક ભારતની પ્રથમ T20 મેચમાં પણ ટીમનો ભાગ હતો. જો કે, તે સમયના અન્ય તમામ ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

સેહવાગ હતો કેપ્ટન

ભારતીય ટીમે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ 1 ડિસેમ્બર 2006ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.તે સમયે વીરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. તે મેચમાં સચિન તેંડુલકર, દિનેશ મોંગિયા, મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, હરભજન સિંહ, ઝહીર ખાન, એસ શ્રીસંત, અજીત અગરકર અને દિનેશ કાર્તિક રમ્યા હતા. કાર્તિક સિવાય આ તમામ ખેલાડીઓ નિવૃત્ત થયા છે.

પહેલી જ મેચમાં કાર્તિકે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી

આ મેચમાં પ્રથમ રમત રમીને દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં માત્ર 126 રન બનાવ્યા હતા. ભારત માટે આ મેચમાં કાર્તિકે અણનમ 31 રન બનાવ્યા હતા. તે ટીમ ઈન્ડિયાની જીતનો હીરો હતો. જોકે, તેના સિવાય સેહવાગે 34 અને મોંગિયાએ 38 રન બનાવ્યા હતા. ધોનીએ શૂન્ય, સચિન 10 અને રૈના 3* રને અણનમ રહ્યા હતા.

કાર્તિકને સતત તકો મળી ન હતી

ભારતની પ્રથમ T20માં મેચ વિનિંગ ઇનિંગ રમનાર કાર્તિકને આ પછી વધુ તકો મળી ન હતી. ત્યારપછી ભારતે 157 T20 મેચ રમી, પરંતુ કાર્તિકને માત્ર 31 મેચ રમવાની તક મળી. કાર્તિકે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 2019 માં રમી હતી. ત્યારથી તે સતત ટીમની બહાર ચાલી રહ્યો હતો.

નિદાહાસ ટ્રોફીમાં છેલ્લા બોલે છગ્ગાથી જીત મેળવી હતી

બાંગ્લાદેશ વિરૂદ્ધ નિદાહાસ ટ્રોફીમાં દિનેશ કાર્તિકે છેલ્લા બોલે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવી હતી. ભારતને છેલ્લા બોલ પર જીતવા માટે પાંચ રન બનાવવાના હતા અને ત્યારબાદ કાર્તિકે સિક્સર ફટકારીને જીત મેળવી હતી. જો કે, T20 ઈન્ટરનેશનલ મેચોમાં કાર્તિકના બેટમાંથી અત્યાર સુધી એક પણ અડધી સદી થઈ નથી. કાર્તિકે 32 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 399 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 48 રન છે.

IPL 2022 થી જોરદાર પુનરાગમન

છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા કાર્તિકે IPL 2022માં ફરી એકવાર વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. તે હાલમાં ભારતના શ્રેષ્ઠ ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે. કાર્તિકે IPL 2022માં 55ની એવરેજ અને 184ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget