શોધખોળ કરો

IND vs SL: બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો, આ ખેલાડીની ભૂલની સજા ભોગવી રહી છે આખી ટીમ!

IND vs SL: શ્રીલંકા સાથે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામે, ભારત શ્રેણીમાં 0 1થી પાછળ થઈ ગયું છે.

IND vs SL: શ્રીલંકા સાથે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ભારતીય ટીમ માટે દુ:ખદાયક છે, કારણ કે તેમણે આ મેચમાં એવી ઘણી ભૂલો કરી, જેના કારણે મેચ તેમના હાથમાંથી સરકી ગઈ. જ્યારે પહેલી વનડેમાં પણ ભારત જીતેલી મેચ ટાઈ કરાવી બેઠું હતું અને હવે તો શ્રીલંકાએ ભારતને હરાવીને શ્રેણી પર 1-0ની લીડ મેળવી લીધી છે. ચાલો તમને જણાવીએ કે આ મેચમાં ભારતે કઈ કઈ ભૂલો કરી...

ભારતીય ટીમ સામે જીત માટે 241 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં 208 રન પર સમેટાઈ ગઈ. આ રીતે ભારતીય ટીમને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે નિરાશ કર્યા. જોકે, અક્ષર પટેલે 44 રનની સારી ઇનિંગ્સ જરૂર રમી, પરંતુ બીજા છેડેથી સતત બેટ્સમેનો પેવેલિયન તરફ જતા રહ્યા. પરિણામે, ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 7 ઓગસ્ટે રમાશે. ભારતીય ટીમ ત્રીજી વનડે જીતીને શ્રેણી 1-1ની બરાબરી પર સમાપ્ત કરવા માંગશે.

ભારતની હારના કારણ

 
  • સારી શરૂઆત પછી ખરાબ પ્રદર્શન - ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત મળી, કારણ કે રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી. પરંતુ, પછી ભારતીય ટીમ તાશના પત્તાંની જેમ વેરવિખેર થઈ ગઈ. હા, ટીમ 42.2 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને ભારતીય ટીમ આ મેચ હારી ગઈ.
  • બેટિંગ ક્રમમાં ફેરફાર - ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ બેટિંગ ઓર્ડરમાં ફેરફાર રહ્યો. ટોપ 3ને છોડી દેવામાં આવે, તો લગભગ દરેક બેટ્સમેનની બેટિંગ પોઝિશનમાં ફેરફાર કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં બેટ્સમેનોને એડજસ્ટ થવાનો સમય ન મળ્યો અને તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં, સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. નંબર 4 પર આવેલા શિવમ દુબે ખાતું ખોલ્યા વગર આઉટ થયા, અક્ષર પટેલે ટકી રહેવાનો પ્રયાસ કર્યો અને 44 રન બનાવીને આઉટ થયા. અંતમાં શ્રેયસ અય્યર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.
  • કેએલ રાહુલે નિરાશ કર્યા - ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ખૂબ નિરાશ કર્યા છે. શ્રીલંકા સાથે રમાઈ રહેલી વનડે શ્રેણીમાં ટીમ મેનેજમેન્ટે ઋષભ પંત પહેલાં તેમને તક આપી છે, પરંતુ અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં તે આ તકનો લાભ લઈ શક્યા નથી. પ્રથમ મેચમાં તે સસ્તામાં આઉટ થયયો અને આજે તો ખાતું પણ ખોલી શક્યો નહીં. કેએલનું 0 પર આઉટ થવું ક્યાંક ને ક્યાંક ભારતની હારનું કારણ છે. આવી સ્થિતિમાં હવે આગામી મેચમાં તેમને અંતિમ અગિયારમાંથી બહાર કરવામાં આવી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ
IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Silver Price All Time High : ચાંદીના ભાવ આસમાને, એક જ દિવસમાં 14 હજાર રૂપિયાનો ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ
IND vs NZ: બીજી વનડેમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું થશે ડેબ્યૂ
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત
જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત
Stock Market Holiday: NSEએ નવા સર્કુલરથી બદલ્યો નિર્ણય, 15 જાન્યુઆરીના રોજ શેરબજાર રહેશે બંધ
Stock Market Holiday: NSEએ નવા સર્કુલરથી બદલ્યો નિર્ણય, 15 જાન્યુઆરીના રોજ શેરબજાર રહેશે બંધ
Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ
Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ
Embed widget