શોધખોળ કરો

IND vs SL, 2nd T20: હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ભારતની પ્રથમ હાર, જાણો હારના કારણો

IND vs SL, 2nd T20: 207 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત નબળી થઈ હતી. ભારતે 57 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી.

IND vs SL, 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પુણેની બીજી ટી20માં ભારતીયી ટીમને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો. અંતિમ ઓવરમા ભારતીય ટીમને 21 રનની જરૂર હતી, પરંતુ 5 રન જ બનાવી શકી અને મેચમાં 16 રનોથી હાર થઇ હતી, આ સાથે જ શ્રીલંકન ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી. હાર્દિક પંડ્યાના કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ હાર છે. આ પહેલા છ મેચમાં તેણે ભારતને જીત અપાવી હતી. આ પહેલા પ્રથમ ટી20માં ભારતીય ટીમની જીત થઇ હતી, હવે બન્ને ટીમો વચ્ચે આગામી 7મી જાન્યુઆરીએ નિર્ણાયક અને ફાઇનલ મેચ રમાશે. આ મુકાબલો રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે.

શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યુ
એકદમ રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યું. 207 રનોના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાને 190 રન જ બનાવી શકી, આની સાથે જ સીરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. જોકે, એકસમયે મેચમાં આવી સ્થિતિ આવી ગઇ હતી કે ભારતીય ટીમની હાર નક્કી દેખાતી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલના તાબડતોડ બેટિંગના કારણે ભારતીયી ટીમની જીતની આશા ફરી જીવંત થઇ હતી.

ભારતની હારના કારણો

અર્શદીપ સિંહ-શિવમ માવીની બોલિંગ ટીમ ઈન્ડિયાને ભારે પડી

પથુમ અને કુસલે શ્રીલંકાની ટીમ (IND vs SL) ને અડધી સદી ફટકારીને શાનદાર ભાગીદારી આપી. આ બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. આવી સ્થિતિમાં સ્પિનરોએ ટીમ ઈન્ડિયાને મેચમાં કમબેક કર્યું. સ્પિન બોલરોના યોગદાનથી ભારતીય ટીમ 138 રનમાં છ વિકેટ મેળવી શકી હતી. યુઝવેન્દ્ર ચહલે પ્રથમ સફળતા મેળવી, જ્યારે અક્ષરે બે વિકેટ પોતાના નામે નોંધાવી. ઉમરાન મલિકે ભલે ત્રણ વિકેટ લીધી હોય, પરંતુ આ સમયગાળા દરમિયાન તે ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવર બોલિંગમાં 48 રન ખર્ચ્યા. તેમના સિવાય અર્શદીપ સિંહ અને શિવમ માવી પણ ઘણા મોંઘા સાબિત થયા. જ્યારે અર્શે 2 ઓવરમાં 37 રન, શિવમે 53 રન આપ્યા. રન લૂંટવાની સાથે અર્શદીપે પાંચ બોલ પણ ફેંક્યા હતા. મુલાકાતી ટીમની બીજી ઓવરમાં તેણે ત્રણ નો બોલ નાખતા 19 રન લૂટી લીધા હતા. જે બાદ શ્રીલંકાની  ઇનિંગ્સે ખૂબ વેગ પકડ્યો.

નોબોલ

આ મેચમાં ભારતની હારનું કારણ નો બોલ બન્યો હતો. પ્રથમ જ ઓવરમાં અર્શદીપ સિંહે નો-બોલની હેટ્રિક ફટકારી હતી. આ પછી પણ તે અટક્યો નહીં. પોતાની બીજી ઓવર નાખવા આવેલા અર્શદીપે ફરી એકવાર બે નો-બોલ નાખ્યા. જે બોલ પર દાસુન શનાકા કેચ આઉટ થયો હતો તે નો બોલ સાબિત થયો હતો. બાદમાં તેણે 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ભારત દ્વારા કુલ સાત નો-બોલ ફેંકવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ અર્શદીપે અને એક-એક ઉમરાન મલિક અને શિવમ માવીએ ફેંક્યા હતા.

અર્શદીપ સિંહ નો કાળો દિવસ

બીમારીમાંથી સાજા થઈને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહેલ અર્શદીપ સિંહ આ મેચમાં પોતાની ઈમેજ પ્રમાણે કરિશ્માપૂર્ણ પ્રદર્શન કરશે તેવી આશા હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. અર્શદીપે તેની પ્રથમ ઓવરમાં 19 રન આપ્યા હતા. આ પછી અર્શદીપ 19મી ઓવરમાં ફરી બોલિંગ આક્રમણ પર આવ્યો. આ ઓવરમાં તેને 18 રન મળ્યા હતા. આ મેચમાં તે સૌથી મોંઘો સાબિત થયો હતો.

નબળી શરૂઆત

207 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત નબળી થઈ હતી. ભારતે 57 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી.

હાર્દિકની ભૂલને ભારે પડી

નોંધપાત્ર રીતે, પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ મોટે ભાગે જીતે છે. તે જ સમયે, આ મેચમાં (IND vs SL), ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. ક્યાંક ને ક્યાંક તેની આ ભૂલ ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ સાબિત થઈ રહી છે. આ સિવાય અર્શદીપ સિંહની બોલિંગ પણ ટીમની હારનું કારણ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget