શોધખોળ કરો

IND vs SL T20I : ટી-20માં આજે ભારત-શ્રીલંકા વચ્ચે મુકાબલો, વાનખેડે સ્ટેડિયમમાં થશે રનનો વરસાદ

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે. 

IND vs SL T20I :  ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. બીજી તરફ હવામાનને જોતા અહીં ઝાકળ પડવાની પ્રબળ શક્યતા છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. જો કે, આ મેદાન પર કોઈપણ રન ચેઝ કરી શકાય છે. આવી સ્થિતિમાં, ઝાકળ સિવાય, ટોસ જીત્યા પછી બોલિંગ કરવાનું બીજું કારણ પણ છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઈશાન કિશન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ/શુબમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

આમને સામને રેકોર્ડ

ભારત અને શ્રીલંકાની ટીમ અત્યાર સુધીમાં 26 વખત સામસામે આવી ચુકી છે. આમાં 17 મેચો ભારતીય ટીમે જીતી છે, જ્યારે 8 મેચ શ્રીલંકાના પક્ષમાં ગઈ છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા વાનખેડેમાં ચાર T20 મેચ રમી છે. અહીં તેને બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 7 ઇન્ટરનેશનલ ટી-20 મેચ યોજાઈ ચૂકી છે. તેની 14 ઇનિંગ્સમાં 12 વખત 170+નો સ્કોર બનાવ્યો છે. આમાંથી ચાર ઇનિંગ્સમાં સ્કોર 200ને પાર કરી ગયો છે. આ મેદાન પર T20માં સર્વોચ્ચ સ્કોર 240 રન છે. આ સ્કોર ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બનાવ્યો હતો.
 
આ મેદાન પર સૌથી વધુ રન બનાવનારા તમામ ટોપ-5 બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ રહ્યો છે. અહીં વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ 200થી વધુ રહ્યો છે. ક્રિસ ગેલે અહીં માત્ર 48 બોલમાં સદી ફટકારી છે.

આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો સ્કોર

ભારતીય ટીમે અહીં દરેક મેચમાં ખૂબ જ રનનો વરસાદ કર્યો છે. ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 240 રન બનાવ્યા હતા. માર્ચ 2016માં પણ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 192 રન બનાવ્યા હતા, જો કે આટલા મોટા સ્કોર છતાં ટીમ ઈન્ડિયાને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બર 2012માં અહીં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ટી-20 મેચમાં પણ ભારતે 177 રન બનાવ્યા હતા, આ મેચમાં ઈંગ્લેન્ડે આસાનીથી લક્ષ્ય હાંસલ કર્યું હતું.

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભNew Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.