શોધખોળ કરો

IND vs SL T20I : ટી-20માં આજે ભારત-શ્રીલંકા વચ્ચે મુકાબલો, વાનખેડે સ્ટેડિયમમાં થશે રનનો વરસાદ

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે. 

IND vs SL T20I :  ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. બીજી તરફ હવામાનને જોતા અહીં ઝાકળ પડવાની પ્રબળ શક્યતા છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. જો કે, આ મેદાન પર કોઈપણ રન ચેઝ કરી શકાય છે. આવી સ્થિતિમાં, ઝાકળ સિવાય, ટોસ જીત્યા પછી બોલિંગ કરવાનું બીજું કારણ પણ છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઈશાન કિશન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ/શુબમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

આમને સામને રેકોર્ડ

ભારત અને શ્રીલંકાની ટીમ અત્યાર સુધીમાં 26 વખત સામસામે આવી ચુકી છે. આમાં 17 મેચો ભારતીય ટીમે જીતી છે, જ્યારે 8 મેચ શ્રીલંકાના પક્ષમાં ગઈ છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા વાનખેડેમાં ચાર T20 મેચ રમી છે. અહીં તેને બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 7 ઇન્ટરનેશનલ ટી-20 મેચ યોજાઈ ચૂકી છે. તેની 14 ઇનિંગ્સમાં 12 વખત 170+નો સ્કોર બનાવ્યો છે. આમાંથી ચાર ઇનિંગ્સમાં સ્કોર 200ને પાર કરી ગયો છે. આ મેદાન પર T20માં સર્વોચ્ચ સ્કોર 240 રન છે. આ સ્કોર ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બનાવ્યો હતો.
 
આ મેદાન પર સૌથી વધુ રન બનાવનારા તમામ ટોપ-5 બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ રહ્યો છે. અહીં વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ 200થી વધુ રહ્યો છે. ક્રિસ ગેલે અહીં માત્ર 48 બોલમાં સદી ફટકારી છે.

આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો સ્કોર

ભારતીય ટીમે અહીં દરેક મેચમાં ખૂબ જ રનનો વરસાદ કર્યો છે. ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 240 રન બનાવ્યા હતા. માર્ચ 2016માં પણ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 192 રન બનાવ્યા હતા, જો કે આટલા મોટા સ્કોર છતાં ટીમ ઈન્ડિયાને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બર 2012માં અહીં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ટી-20 મેચમાં પણ ભારતે 177 રન બનાવ્યા હતા, આ મેચમાં ઈંગ્લેન્ડે આસાનીથી લક્ષ્ય હાંસલ કર્યું હતું.

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget