શોધખોળ કરો

IND Vs WI : "BCCIએ રણજી ટ્રોફી બંધ કરી દેવી જોઈએ અને માત્ર IPL જ...."

ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું હતું કે, “સરફરાઝે શું કરવું જોઈએ? જો આપણે છેલ્લા ત્રણ વર્ષમાં તેના આંકડા જોઈએ તો તે બાકીના કરતા ઉપર છે. તેણે દરેક જગ્યાએ રન બનાવ્યા છે.

IND vs WI, Sarfaraz Khan: ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. જેના માટે BCCI દ્વારા ગયા શુક્રવારે ODI અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે બોર્ડ દ્વારા ટેસ્ટ ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર અને રૂતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધૂમ મચાવનાર સરફરાઝ ખાનનું નામ ટેસ્ટ ટીમમાંથી ગાયબ હતું.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ ટેસ્ટ ટીમમાં સરફરાઝ ખાનનું નામ ન જોઈને BCCIની આકરી ટીકા કરી હતી. આકાશ ચોપરાએ સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું હતું કે, સરફરાઝને વારંવાર કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? તેણે કહ્યું હતું કે, બોર્ડે સરફરાઝ વિશે તેમને શું પસંદ નથી તે સાર્વજનિક કરવું જોઈએ. આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર આ વિશે વાત કરી હતી.

ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું હતું કે, “સરફરાઝે શું કરવું જોઈએ? જો આપણે છેલ્લા ત્રણ વર્ષમાં તેના આંકડા જોઈએ તો તે બાકીના કરતા ઉપર છે. તેણે દરેક જગ્યાએ રન બનાવ્યા છે. તેમ છતાં જો તે પસંદગી નથી કરવામાં આવતી... આનાથી શું સંદેશ જાય છે?

આકાશ ચોપરાએ વધુમાં કહ્યું હતું કે, આ એક પૂછવા જેવો પ્રશ્ન છે. જો કોઈ અન્ય કારણ હોય, કંઈક કે જે તમને અને મને ખબર નથી તો તેને જાહેર કરો. બસ એટલું કહી દો કે તમને સરફરાઝની આ ખાસ વાત પસંદ નથી આવતી અને તેથી જ તમે તેના વિશે નથી વિચારી રહ્યા. પરંતુ આપણે નથી જાણતા કે આવી કોઈ વસ્તુ છે કે નહીં. મને નથી ખબર કે સરફરાઝને આ વિશે કોઈએ કહ્યું છે કે નહીં. જો તમે ફર્સ્ટ-ક્લાસના રનને મહત્ત્વ આપતા નથી, તો તે મોંમાં એક ખાટો સ્વાદ છોડી જાય છે.

એક નજર સરફરાઝની ફર્સ્ટ ક્લાસ કરિયર પર

મુંબઈ તરફથી રમતા સરફરાઝ ખાને અત્યાર સુધીમાં 37 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોની 54 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 79.65ની એવરેજથી 3505 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 13 સદી અને 9 અડધી સદી નીકળી છે, જેમાં તેનો હાઈ સ્કોર અણનમ 301 રન છે.

સુનીલ ગાવસ્કર પણ લાલઘુમ

સરફરાઝ ખાનની પસંદગી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ના થતા પૂર્વ ખેલાડી અને દિગ્ગજ ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કર પણ લાલઘુમ થઈ ગયા હતાં. સ્પોર્ટ્સ ટુડે સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, સરફરાઝ ખાન છેલ્લા ત્રણ વર્ષથી 100ની એવરેજથી સ્કોર કરી રહ્યો છે. તેને ટીમમાં સ્થાન મેળવવા માટે બીજું શું કરવું પડશે? તે પ્લેઇંગ ઇલેવનમાં નથી, પરંતુ તેની જરૂર છે. ટીમમાં સામેલ કરવા માટે IPLમાં પસંદગી થવી જોઈતી હતી. તેમને જણાવવું જોઈએ કે તમારી રમત અને પ્રદર્શનને માન્યતા આપવામાં આવી રહી છે. નહીં તો રણજી રમવાનું બંધ કરી દો. કહી દો કે તેનો કોઈ જ અર્થ નથી. માત્ર  IPLજ રમો અને વિચારી લો કે તમે રેડ બોલ ક્રિકેટ માટે પણ તૈયાર છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Embed widget