શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરથી શરૂ થવાની છે.

India World Test Championship 2025 Final Qualification Scenario: ન્યૂઝીલેન્ડે ભારત સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આનાથી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની આશાઓને ઝટકો લાગ્યો છે. પુણે ટેસ્ટ હાર્યા પછી પણ ભારતીય ટીમ ટેબલમાં ટોપ પર છે, પરંતુ હવે ફાઈનલની રેસ પહેલા કરતાં વધુ રસપ્રદ બની ગઈ છે. યાદ અપાવી દઈએ કે હજી ભારતે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી મેચ અને પછી ઓસ્ટ્રેલિયા જઈને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ રમવાની છે. તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભારતના ફાઈનલમાં જવાના સમીકરણો શું છે?

ભારતના ફાઈનલમાં જવાનું સમીકરણ:

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરથી શરૂ થવાની છે. ત્યારબાદ 22 નવેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા હજી 62.82 પોઈન્ટ્સ ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા નંબર પર રહેલ ઓસ્ટ્રેલિયાની ટકાવારી 62.5 છે. આનો અર્થ એ કે એક વધુ હાર પછી ભારત બીજા સ્થાને સરકી જશે.

હવે WTCના શેડ્યૂલ પહેલાં ભારતીય ટીમે કુલ 6 ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારત કોઈ મુશ્કેલી વિના ફાઈનલમાં જવા માંગે છે તો તેણે આગામી 6માંથી ઓછામાં ઓછી ચાર જીત નોંધાવવી પડશે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે છે તો ત્યારબાદ રોહિત એન્ડ કંપનીએ સુનિશ્ચિત કરવું પડશે કે તે ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતે. જો ભારત આવું ન કરી શકે તો તેને ફાઈનલમાં જવા માટે અન્ય ટીમો પર આધાર રાખવો પડશે.

ભારત બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ

અત્યાર સુધીના ઇતિહાસમાં બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ છે. 2021માં રમાયેલી પહેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે નિરાશાજનક હાર સ્વીકારવી પડી હતી. વર્ષ 2023માં એકવાર ફરી ભારત ઊંચા મનોબળ સાથે ફાઈનલમાં પહોંચ્યું, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થયો. ધ ઓવલ મેદાનમાં રમાયેલી તે મેચમાં શરૂઆતથી જ કાંગારૂ ટીમે દબદબો જાળવી રાખ્યો અને 209 રનની મોટી જીત નોંધાવી. ભારત અત્યાર સુધી બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ છે.

આ પણ વાંચોઃ

IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Embed widget