શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરથી શરૂ થવાની છે.

India World Test Championship 2025 Final Qualification Scenario: ન્યૂઝીલેન્ડે ભારત સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આનાથી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની આશાઓને ઝટકો લાગ્યો છે. પુણે ટેસ્ટ હાર્યા પછી પણ ભારતીય ટીમ ટેબલમાં ટોપ પર છે, પરંતુ હવે ફાઈનલની રેસ પહેલા કરતાં વધુ રસપ્રદ બની ગઈ છે. યાદ અપાવી દઈએ કે હજી ભારતે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી મેચ અને પછી ઓસ્ટ્રેલિયા જઈને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ રમવાની છે. તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભારતના ફાઈનલમાં જવાના સમીકરણો શું છે?

ભારતના ફાઈનલમાં જવાનું સમીકરણ:

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરથી શરૂ થવાની છે. ત્યારબાદ 22 નવેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા હજી 62.82 પોઈન્ટ્સ ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા નંબર પર રહેલ ઓસ્ટ્રેલિયાની ટકાવારી 62.5 છે. આનો અર્થ એ કે એક વધુ હાર પછી ભારત બીજા સ્થાને સરકી જશે.

હવે WTCના શેડ્યૂલ પહેલાં ભારતીય ટીમે કુલ 6 ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારત કોઈ મુશ્કેલી વિના ફાઈનલમાં જવા માંગે છે તો તેણે આગામી 6માંથી ઓછામાં ઓછી ચાર જીત નોંધાવવી પડશે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે છે તો ત્યારબાદ રોહિત એન્ડ કંપનીએ સુનિશ્ચિત કરવું પડશે કે તે ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતે. જો ભારત આવું ન કરી શકે તો તેને ફાઈનલમાં જવા માટે અન્ય ટીમો પર આધાર રાખવો પડશે.

ભારત બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ

અત્યાર સુધીના ઇતિહાસમાં બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ છે. 2021માં રમાયેલી પહેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે નિરાશાજનક હાર સ્વીકારવી પડી હતી. વર્ષ 2023માં એકવાર ફરી ભારત ઊંચા મનોબળ સાથે ફાઈનલમાં પહોંચ્યું, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થયો. ધ ઓવલ મેદાનમાં રમાયેલી તે મેચમાં શરૂઆતથી જ કાંગારૂ ટીમે દબદબો જાળવી રાખ્યો અને 209 રનની મોટી જીત નોંધાવી. ભારત અત્યાર સુધી બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ છે.

આ પણ વાંચોઃ

IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Embed widget