શોધખોળ કરો

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ

India vs Afghanistan Test: મુલ્લાનપુર ટેસ્ટમાં શાનદાર બેટિંગ છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત છઠ્ઠા ક્રમે જ રહેશે; જાણો આ પાછળનું આશ્ચર્યજનક કારણ કેમ કે આ જીતથી ખાતામાં એકપણ પોઈન્ટ નહીં ઉમેરાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત અફઘાનિસ્તાન ટેસ્ટમાં મજબૂત, ગિલ-રાહુલની સદી.
  • આ જીત છતાં WTC માં ભારતને ફાયદો નહીં થાય.
  • અફઘાનિસ્તાન WTC નો ભાગ નથી; શ્રેણીમાં એક ટેસ્ટ.
  • ભારત WTC માં છઠ્ઠા ક્રમે; ફાઇનલ પહોંચવું મુશ્કેલ.

India vs Afghanistan Test 2026: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી મુલ્લાનપુરમાં શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે નિરાશાની વાત એ છે કે આ મેચ જીતવા છતાં ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલમાં કોઈ જ ફાયદો થવાનો નથી. ભારતીય ટીમે ભલે 564 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હોય, છતાં WTC ના પોઈન્ટ ટેબલમાં ભારતનું સ્થાન સુધરશે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયા WTC રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે સંઘર્ષ કરી રહી છે અને ફાઇનલમાં પહોંચવાનો તેનો રસ્તો ઘણો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

મુલ્લાનપુર ટેસ્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન

મેચની વાત કરીએ તો, ભારતીય બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના બોલરોને બરાબરના હંફાવ્યા છે. કેએલ રાહુલ અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી છે, જેના જોરે ભારતે પોતાનો પહેલો દાવ 564 રને ડિકલેર કર્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે, પણ આ જીત WTC ના પોઈન્ટ ટેબલના ગણિતમાં કોઈ જ કામની નથી.

જીતવા છતાં કેમ નહીં થાય કોઈ ફાયદો?

જો ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે બહુ મોટા માર્જિનથી જીત મેળવે તો પણ તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈ જ પોઈન્ટ નહીં મળે. આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો જ નથી. WTC માં કુલ 9 ટીમો રમે છે, જેમાં અફઘાનિસ્તાનનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિયમ મુજબ કોઈપણ સિરીઝમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ મેચ હોવી જરૂરી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફક્ત 1 જ ટેસ્ટ મેચ રમાઈ રહી હોવાથી આ સીરીઝ WTC સાયકલમાં ગણાશે જ નહીં.

આ પણ વાંચોઃ 15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?

WTC પોઈન્ટ ટેબલમાં ભારતની હાલત ખરાબ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તમામ ટીમોને તેમની જીતની ટકાવારી (વિનિંગ પર્સન્ટેજ) ના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ભારતે માત્ર 4 માં જ જીત મેળવી છે. આ સાથે ભારતની જીતની ટકાવારી 48.15 છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

WTC 2025-27 ના આ ચક્રમાં ટીમ ઈન્ડિયાએ પોતાની લગભગ અડધી મેચો રમી લીધી છે, તેથી અહીંથી ફાઇનલમાં પહોંચવું ઘણું અઘરું છે. હાલના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે, ન્યુઝીલેન્ડ બીજા ક્રમે છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

Frequently Asked Questions

ભારત અફઘાનિસ્તાન સામે ટેસ્ટ જીતવા છતાં WTC પોઈન્ટ કેમ નહીં મેળવે?

અફઘાનિસ્તાન WTC નો હિસ્સો નથી અને WTC નિયમ મુજબ સિરીઝમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ મેચ હોવી જરૂરી છે. આ મેચ માત્ર 1 જ હોવાથી ભારતને પોઈન્ટ નહીં મળે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું હાલનું સ્થાન કયું છે?

ટીમ ઈન્ડિયા WTC રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે સંઘર્ષ કરી રહી છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ભારતે માત્ર 4 માં જ જીત મેળવી છે, તેની જીતની ટકાવારી 48.15 છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ કેટલી ટીમો ભાગ લે છે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 9 ટીમો રમે છે. અફઘાનિસ્તાનની ટીમ આ 9 ટીમોનો હિસ્સો નથી, તેથી તેની સામેની મેચના પોઈન્ટ ગણાતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા
Advertisement

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Embed widget