શોધખોળ કરો

સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ

એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે આજે પણ ભારતીયોમાં ગુસ્સો છે

31 જૂલાઈના રોજ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ રદ કરવામાં આવી છે. WCL 2025ની આ સેમિફાઇનલ મેચ બર્મિંગહામમાં રમાવાની હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ટીમ સાથે રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આ મેચ રદ કરવામાં આવી છે. પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિમાં હોવાને કારણે પાકિસ્તાનને ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે, જે 2 ઓગસ્ટના રોજ બર્મિંગહામમાં રમાશે. ફાઈનલમાં પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

એશિયા કપ 2025નો કાર્યક્રમ જાહેર થયા પછી સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચનો વિરોધ થઈ રહ્યો છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. WCL 2025ની સેમિફાઇનલ મેચ રદ થવાથી BCCI પર ક્યાંકને ક્યાંક દબાણ વધ્યું હશે. વર્તમાન શિડ્યૂલ મુજબ, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.

એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે આજે પણ ભારતીયોમાં ગુસ્સો છે. આ જ કારણ છે કે ભારતના લોકો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે ક્રિકેટ રમે તે જોવા માંગતા નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ વિશે વાત કરીએ તો બુધવારે, લીગના મુખ્ય સ્પોન્સર્સમાંના એક 'ઈઝ માય ટ્રીપ' એ ભારત-પાકિસ્તાન મેચથી પોતાને અલગ કરી દીધા હતા. જ્યારે આ કંપનીએ બે વર્ષ પહેલા WCL સાથે 5 વર્ષનો કરાર કર્યો હતો, ત્યારે કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે તે એવી કોઈપણ મેચમાં સામેલ થવા માંગતી નથી જેમાં પાકિસ્તાન ટીમ રમી રહી છે.

અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ પણ રદ કરવામાં આવી હતી કારણ કે હરભજન સિંહ અને શિખર ધવન સહિત ઘણા ભારતીય દિગ્ગજોએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ઇનકાર કર્યો હતો.

ખેલાડીઓનો બહિષ્કાર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવન જેવા દિગ્ગજોએ પણ અગાઉથી જ પાકિસ્તાન સામે ન રમવાની વાત કરી હતી. શિખર ધવને તો સોશિયલ મીડિયા પર એક જૂનો ઈમેલ પણ શેર કર્યો હતો, જેમાં તેણે WCL ના આયોજકોને પહેલાથી જ જાણ કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, તે પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે. હરભજન સિંહ પણ આ બહિષ્કાર શરૂ કરનારા મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget