શોધખોળ કરો

સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ

એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે આજે પણ ભારતીયોમાં ગુસ્સો છે

31 જૂલાઈના રોજ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ રદ કરવામાં આવી છે. WCL 2025ની આ સેમિફાઇનલ મેચ બર્મિંગહામમાં રમાવાની હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ટીમ સાથે રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આ મેચ રદ કરવામાં આવી છે. પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિમાં હોવાને કારણે પાકિસ્તાનને ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે, જે 2 ઓગસ્ટના રોજ બર્મિંગહામમાં રમાશે. ફાઈનલમાં પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

એશિયા કપ 2025નો કાર્યક્રમ જાહેર થયા પછી સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચનો વિરોધ થઈ રહ્યો છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. WCL 2025ની સેમિફાઇનલ મેચ રદ થવાથી BCCI પર ક્યાંકને ક્યાંક દબાણ વધ્યું હશે. વર્તમાન શિડ્યૂલ મુજબ, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.

એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે આજે પણ ભારતીયોમાં ગુસ્સો છે. આ જ કારણ છે કે ભારતના લોકો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે ક્રિકેટ રમે તે જોવા માંગતા નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ વિશે વાત કરીએ તો બુધવારે, લીગના મુખ્ય સ્પોન્સર્સમાંના એક 'ઈઝ માય ટ્રીપ' એ ભારત-પાકિસ્તાન મેચથી પોતાને અલગ કરી દીધા હતા. જ્યારે આ કંપનીએ બે વર્ષ પહેલા WCL સાથે 5 વર્ષનો કરાર કર્યો હતો, ત્યારે કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે તે એવી કોઈપણ મેચમાં સામેલ થવા માંગતી નથી જેમાં પાકિસ્તાન ટીમ રમી રહી છે.

અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ પણ રદ કરવામાં આવી હતી કારણ કે હરભજન સિંહ અને શિખર ધવન સહિત ઘણા ભારતીય દિગ્ગજોએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ઇનકાર કર્યો હતો.

ખેલાડીઓનો બહિષ્કાર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવન જેવા દિગ્ગજોએ પણ અગાઉથી જ પાકિસ્તાન સામે ન રમવાની વાત કરી હતી. શિખર ધવને તો સોશિયલ મીડિયા પર એક જૂનો ઈમેલ પણ શેર કર્યો હતો, જેમાં તેણે WCL ના આયોજકોને પહેલાથી જ જાણ કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, તે પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે. હરભજન સિંહ પણ આ બહિષ્કાર શરૂ કરનારા મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget