શોધખોળ કરો

IND vs ZIM T20 WC: મેલબોર્નમાં ભારત અને ઝિમ્બાબ્વેની ટક્કર, જાણો કેવી હશે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન?

ટીમ ઈન્ડિયા વર્તમાન ટૂર્નામેન્ટમાં બીજી વખત મેલબોર્નમાં રમશે. આ પહેલા ભારતીય ટીમે 23 ઓક્ટોબરે આ જ મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું હતું

મેલબોર્નઃ T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 તબક્કાની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. ટીમ ઈન્ડિયા વર્તમાન ટૂર્નામેન્ટમાં બીજી વખત મેલબોર્નમાં રમશે. આ પહેલા ભારતીય ટીમે 23 ઓક્ટોબરે આ જ મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું હતું. હવે ટીમ ઇન્ડિયા પાસે ઝિમ્બાબ્વેને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની તક છે.

મેલબોર્નમાં આજની મેચમાં વરસાદની શક્યતા ફક્ત પાંચ ટકા છે તેથી મેચ ધોવાઈ જવાની શક્યતા ઘણી ઓછી છે. તેમ છતાં જો આ મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો પણ ભારત આગળના રાઉન્ડમાં પહોંચશે. જ્યાં સુધી ઝિમ્બાબ્વે ટીમનો સવાલ છે તેઓ જીત સાથે તેમના અભિયાનનો અંત લાવવાનો પ્રયાસ કરશે. નેધરલેન્ડ સામેની હાર બાદ ઝિમ્બાબ્વેનો ઉત્સાહ પહેલેથી નબળો છે .  ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેએ પર્થ સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ દિનેશ કાર્તિક અને ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ છે. દિનેશ કાર્તિક ત્રણ ઇનિંગ્સમાં 1, 6 અને 7 રન બનાવવામાં સફળ રહ્યો છે. નેધરલેન્ડ સામે અડધી સદી ફટકારવા સિવાય રોહિત શર્મા બાકીની ત્રણ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નથી. હવે ઝિમ્બાબ્વે સામે રોહિત પાસે મોટી ઇનિંગની આશા રાખશે.

રિષભ પંતને મળશે તક?

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન પર પણ નજર રહેશે. ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. રિષભ પંત વાપસી માટે સખત મહેનત કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામે પણ તે રમશે નહી તેવી અટકળો હતી પરંતુ દિનેશ કાર્તિક મેચ રમવા માટે ફિટ હતો. હવે મહત્વની મેચ હોવાથી ભારતીય ટીમ મેનેજમેન્ટ ભાગ્યે જ પ્લેઇંગ-11માં ફેરફાર કરે છે.

બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11

ભારત

કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

ઝિમ્બાબ્વે

વેસ્લે મધેવેરે, ક્રેગ ઇર્વિન, રેજિસ ચકાબ્વા, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, મિલ્ટન શુમ્બા, રેયાન બર્લ, લ્યૂક જોંગવે, તેંદઇ ચતરા, રિચર્ડ નગારવા, બ્લેસિંગ મુજરબાની

 

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget