IND vs SLની બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારત 303 રનમાં ઓલઆઉટ, શ્રીલંકાને જીત માટે 419 રનની જરુર
ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 143 રનની લીડ મળી હતી.

Background
IND vs SL, 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ 35.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 143 રનની લીડ મળી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 24 રનમાં 5 વિકેટ, અશ્વીને 30 રનમાં 2, શમીએ 18 રનમાં 2 તથા અક્ષર પટેલે 21 રનમાં 1 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 6 વિકેટે 86 રન નોંધાવ્યા હતા. શ્રીલંકાએ ભારત સામે તેનો બીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ પહેલા 1990માં ચંદીગઢમાં શ્રીલંકાની ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ હતી.
બીજા દિવસના અંતે શ્રીલંકાને જીતવા માટે 419 રનની જરુર
બીજા દિવસના અંતે શ્રીલંકાએ 28 રન કર્યા છે અને શ્રીલંકન ટીમની 1 વિકેટ ગુમાવી છે. હાલ શ્રીલંકાને જીતવા માટે 419 રનની જરુર છે.
ભારતીય ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ, શ્રીલંકાને જીત માટે 447 રનની જરુર
ભારતીય ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં શ્રેયસ ઐયરે 67 રન, અશ્વિને 13 રન, અક્ષર પટેલે 9 રન બનાવ્યા હતા જ્યારે શમી 16 રન પર નોટ આઉટ રહ્યો હતો. હવે શ્રીલંકાને જીત માટે 447 રનની જરુર છે.




















