શોધખોળ કરો

IPL 2021: CSK ને ચોથી વખત ચેમ્પિયન બનાવી શકશે ધોની ? આજે KKR સામે ફાઈનલ મુકાબલો

IPL 2021, CSK vs KKR Final: આઇપીએલના ટાઈટલ જંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો થશે. ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની અનુભવી ટીમ કોલકાતા સામે ફાઈનલ રમવા ઉતરશે,

IPL 2021 Final: આઇપીએલના ટાઈટલ જંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો થશે. ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની અનુભવી ટીમ કોલકાતા સામે ફાઈનલ રમવા ઉતરશે, ત્યારે તેમની નજર ચોથી વખત આઇપીએલમાં ચેમ્પિયન બનવા તરફ રહેશે. ચેન્નાઈ વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં આઇપીએલ ટાઈટલ જીતી ચુક્યું  છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

કોલકાતા ગંભીરની કેપ્ટન્સીમાં વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં આઇપીએલ ટ્રોફી જીત્યું હતું. હવે ધોની અને મોર્ગનની ટીમો વચ્ચેનો મુકાબલો દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૃ થશે. આઇપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોમાં સ્થાન ધરાવતું ચેન્નાઈ સુપર કિંગ્સ નવમી ફાઈનલ રમવાની તૈયારી કરી રહ્યું છે. જેના કારણે કાગળ પર તો તેઓ જ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે. જોકે, તેઓ પાંચ વખત ફાઈનલમાં હારી ચૂક્યા છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ આઇપીએલમાં બે ફાઈનલ રમ્યું છે અને બંને જીત્યું છે, જેના કારણે ફાઈનલમાં તેનો રેકોર્ડ ૧૦૦ ટકા છે. ચેન્નાઈ ગૂ્રપ સ્ટેજની આખરી ત્રણ મેચ હાર્યા બાદ ક્વોલિફાયર વનમાં દિલ્હી સામે જીત્યું હતુ. જ્યારે કોલકાતા સળંગ ચાર વિજયના આત્મવિશ્વાસ સાથે ફાઈનલમાં રમવા ઉતરશે. તેઓ વિજયનો સિલસિલો જારી રાખવાનો પ્રયાસ કરશે.

સ્પિનરો નિર્ણાયક સાબિત થઈ શકે

કોલકાતાનો મદાર સુનિલ નારાયણ, શાકિબ અને વરૃણ ચક્રવર્થીની સ્પિન ત્રિપુટી પર રહેલો છે. જેણે ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો છે. જ્યારે ચેન્નાઈની ટીમના સ્પિન આક્રમણનો આધાર જાડેજાની સાથે સાથે મોઈન અલી પર રહેલો છે. દુબઈની પીચ પર સ્પિનરો જાદુ ચલાવતા હોય છે. તે જોતા કોલકાતાનો હાથ સ્પિનરોની બાબતમાં ઉપર રહેશે તેમ મનાય છે.

 રનચેઝ કરનારી ટીમનો કેવો છે રેકોર્ડ

દુબઈમાં રમાનારી આઇપીએલની ફાઇનલમાં ચેન્નાઈનો મુકાબલો કોલકાતા સામે થશે. દુબઈમાં રમાયેલી આઇપીએલની છેલ્લી આઠ મેચમાં રનચેઝ કરનારી ટીમ જ વિજેતા બની છે. જેના કારણે ટોસ જીતનારી ટીમ હરિફટીમને બેટિંગમાં ઉતારશે તે નક્કી લાગી રહ્યું છે. આ મેદાન પર છેલ્લે ક્વોલિફાયર-વન રમાઈ હતી. જેમાં ચેન્નાઈએ ચાર વિકેટથી દિલ્હીને પરાજય આપ્યો હતો. કોલકાતા આઇપીએલની આ સિઝનમાં સાત મેચ રનચેઝ કરતાં જીતી ચૂકી છે. જ્યારે ચેન્નાઈની ટીમે રનચેઝમાં છ મેચો જીતી છે. આઇપીએલની છેલ્લી પાંચ મેચમાં પણ રનચેઝ કરનારી ટીમ વિજેતા બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
Embed widget