શોધખોળ કરો

IPL 2021: CSK ને ચોથી વખત ચેમ્પિયન બનાવી શકશે ધોની ? આજે KKR સામે ફાઈનલ મુકાબલો

IPL 2021, CSK vs KKR Final: આઇપીએલના ટાઈટલ જંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો થશે. ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની અનુભવી ટીમ કોલકાતા સામે ફાઈનલ રમવા ઉતરશે,

IPL 2021 Final: આઇપીએલના ટાઈટલ જંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો થશે. ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની અનુભવી ટીમ કોલકાતા સામે ફાઈનલ રમવા ઉતરશે, ત્યારે તેમની નજર ચોથી વખત આઇપીએલમાં ચેમ્પિયન બનવા તરફ રહેશે. ચેન્નાઈ વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં આઇપીએલ ટાઈટલ જીતી ચુક્યું  છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

કોલકાતા ગંભીરની કેપ્ટન્સીમાં વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં આઇપીએલ ટ્રોફી જીત્યું હતું. હવે ધોની અને મોર્ગનની ટીમો વચ્ચેનો મુકાબલો દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૃ થશે. આઇપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોમાં સ્થાન ધરાવતું ચેન્નાઈ સુપર કિંગ્સ નવમી ફાઈનલ રમવાની તૈયારી કરી રહ્યું છે. જેના કારણે કાગળ પર તો તેઓ જ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે. જોકે, તેઓ પાંચ વખત ફાઈનલમાં હારી ચૂક્યા છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ આઇપીએલમાં બે ફાઈનલ રમ્યું છે અને બંને જીત્યું છે, જેના કારણે ફાઈનલમાં તેનો રેકોર્ડ ૧૦૦ ટકા છે. ચેન્નાઈ ગૂ્રપ સ્ટેજની આખરી ત્રણ મેચ હાર્યા બાદ ક્વોલિફાયર વનમાં દિલ્હી સામે જીત્યું હતુ. જ્યારે કોલકાતા સળંગ ચાર વિજયના આત્મવિશ્વાસ સાથે ફાઈનલમાં રમવા ઉતરશે. તેઓ વિજયનો સિલસિલો જારી રાખવાનો પ્રયાસ કરશે.

સ્પિનરો નિર્ણાયક સાબિત થઈ શકે

કોલકાતાનો મદાર સુનિલ નારાયણ, શાકિબ અને વરૃણ ચક્રવર્થીની સ્પિન ત્રિપુટી પર રહેલો છે. જેણે ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો છે. જ્યારે ચેન્નાઈની ટીમના સ્પિન આક્રમણનો આધાર જાડેજાની સાથે સાથે મોઈન અલી પર રહેલો છે. દુબઈની પીચ પર સ્પિનરો જાદુ ચલાવતા હોય છે. તે જોતા કોલકાતાનો હાથ સ્પિનરોની બાબતમાં ઉપર રહેશે તેમ મનાય છે.

 રનચેઝ કરનારી ટીમનો કેવો છે રેકોર્ડ

દુબઈમાં રમાનારી આઇપીએલની ફાઇનલમાં ચેન્નાઈનો મુકાબલો કોલકાતા સામે થશે. દુબઈમાં રમાયેલી આઇપીએલની છેલ્લી આઠ મેચમાં રનચેઝ કરનારી ટીમ જ વિજેતા બની છે. જેના કારણે ટોસ જીતનારી ટીમ હરિફટીમને બેટિંગમાં ઉતારશે તે નક્કી લાગી રહ્યું છે. આ મેદાન પર છેલ્લે ક્વોલિફાયર-વન રમાઈ હતી. જેમાં ચેન્નાઈએ ચાર વિકેટથી દિલ્હીને પરાજય આપ્યો હતો. કોલકાતા આઇપીએલની આ સિઝનમાં સાત મેચ રનચેઝ કરતાં જીતી ચૂકી છે. જ્યારે ચેન્નાઈની ટીમે રનચેઝમાં છ મેચો જીતી છે. આઇપીએલની છેલ્લી પાંચ મેચમાં પણ રનચેઝ કરનારી ટીમ વિજેતા બની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget