શોધખોળ કરો

BCCIનો મોટો નિર્ણય: મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયામાંથી બહાર, આ ઘાતક બોલરની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી!

Mohammed Siraj dropped: લાંબી સિઝન અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને સિરાજને આરામ અપાયો; ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં થયો મોટો ફેરફાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટી20 શ્રેણીમાંથી બહાર કરાયો.
  • BCCI એ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ સિરાજને આરામ આપ્યો.
  • લાંબી સિઝન પૂર્વે ફિટનેસ માટે આ સાવચેતીનો નિર્ણય.
  • તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને ભારતીય ટીમમાં તક મળી.

Mohammed Siraj dropped: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં અચાનક એક મોટો ફેરફાર કર્યો છે. મંગળવારે BCCI એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ બંને શ્રેણીની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટની સલાહ બાદ સિરાજના વર્કલોડને મેનેજ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. હવે આ બંને પ્રવાસ માટે સિરાજના સ્થાને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે.

સિરાજને કેમ બહાર રાખવામાં આવ્યો? BCCI એ જણાવ્યું કારણ

BCCI એ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, "ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20I શ્રેણી માટે ભારતીય ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે. આગામી સમયમાં આવી રહેલી લાંબી ઈન્ટરનેશનલ સિઝન પહેલાં સિરાજ શારીરિક રીતે ફિટ અને ફ્રેશ થઈ શકે તે માટે સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવાયું છે." આ ચર્ચા બાદ ચીફ સિલેક્ટરની સમિતિએ સિરાજના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી કરી છે.

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડમાં રમાશે મેચો

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ આગામી દિવસોમાં આયર્લેન્ડ સામે 2 અને ઈંગ્લેન્ડ સામે 5 T20 મેચોની સિરીઝ રમવાની છે. આ શ્રેણી માટે સિરાજની પસંદગી થઈ હતી, પણ તેને જાપાનમાં રમાનારી એશિયન ગેમ્સની ટીમમાં રાખવામાં આવ્યો ન હતો. હવે તે આ બંને વિદેશી પ્રવાસમાં પણ જોવા મળશે નહીં.

આ પણ વાંચોઃ ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

IPL 2026 માં રમ્યો હતો સતત મેચો

મોહમ્મદ સિરાજનો વર્કલોડ ઘણો વધારે રહ્યો છે. હાલમાં જ પૂરી થયેલી IPL 2026 માં તે ગુજરાત ટાઇટન્સ તરફથી તમામ 17 મેચ રમ્યો હતો, જેમાં તેણે શાનદાર બોલિંગ કરીને 19 વિકેટો ઝડપી હતી. આ સિવાય તે T20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં પણ મોડેથી સામેલ થયો હતો અને અફઘાનિસ્તાન સામે માત્ર 3 દિવસમાં ખતમ થયેલી એકમાત્ર ટેસ્ટ મેચની ટીમનો પણ તે હિસ્સો હતો. સતત ક્રિકેટ રમવાના કારણે જ તેને આ આરામ આપવામાં આવ્યો છે.

ભારતની અપડેટ થયેલી T20 ટીમ આ મુજબ છે:

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, વૈભવ અરોરા, આયુષ સૂર્યવંશી અને પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

Frequently Asked Questions

મોહમ્મદ સિરાજને કઈ શ્રેણીઓમાંથી બહાર કરવામાં આવ્યો છે?

મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી T20 શ્રેણી માટેની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

સિરાજને ટીમમાંથી બહાર કરવાનું મુખ્ય કારણ શું છે?

મેડિકલ ટીમની સલાહ બાદ તેના વર્કલોડને મેનેજ કરવા અને લાંબી આંતરરાષ્ટ્રીય સીઝન પહેલાં તેને ફિટ રાખવા આ નિર્ણય લેવાયો છે.

મોહમ્મદ સિરાજના સ્થાને કયા ખેલાડીને તક મળી છે?

સિરાજના સ્થાને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ભારતીય ટીમમાં તક આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Embed widget