શોધખોળ કરો

ભારતમાં એક પણ સ્ટેડિયમ કોઇ ક્રિકેટરના નામ પર નથી, જાણો દેશમાં નેતાઓના નામ પર કેટલા સ્ટેડિયમ છે ?

વર્ષ 2019 નવી દિલ્હીમાં આવેલ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ પણ બદલવામાં આવ્યું હતું. તેનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન અને ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે બાદ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ સરદાર પટેલનું નામ બદલીને ભારતના પ્રધાનમંત્રી મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હવેથી આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. આ જાહેરાત બાદ કોંગ્રેસ, પાસના નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજ્જુએ સ્પષ્ટતા કરવી પડી છે. સ્ટેડિયમનું નામ બદલવા અંગે કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે, ફક્ત સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે જ્યારે સમગ્ર પરિસરનું નામ હજી દેશના પ્રથમ ગૃહ પ્રધાનના નામ પર છે. તેમણે કહ્યું, "કેમ્પસનું નામ હજી દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પર છે." ફક્ત સ્ટેડિયમનું નામ બદલાયું છે. આવો જાણીએ કે દેશમાં રાજનેતાઓના નામ પર કેટલા સ્ટેડિયમ આવેલા છે, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામ પર દેશમાં 9 ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે. જેમાંથી 8 સ્ટેડિયમ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચુકી છે. નવી દિલ્હી, ચેન્નઇ, કોચિન, ઇંદોર, ગુવાહાટી, મરાગો, પુણે અને ગાજિયાબાદના સ્ટેડિયમ નેહરુના નામ પર છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પર હૈદ્રાબાદમાં ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. સાથે જ હૈદ્રાબાદ, દેહરાદૂન અને કોચિમાં તેમના નામ પર એરિના આવેલી છે. તો ગુવાહાટી, નવી દિલ્હી અને વિજયવાડામાં ઇન્દિરા ગાંધીના નામ પર ત્રણ એરિના આવેલી છે. કોંગ્રેસ ઉપરાંત ભાજપના નેતાઓના નામ પર પણ સ્ટેડિયમ છે. જેમાં પૂર્વ વડાપ્રધાન અને ભાજપના કદ્દાવર નેતા અટલ બિહારી વાજપેયીના નામ પર 2 ક્રિકેટ સ્ટેડિયમ આવેલા છે. એક લખનઉમાં અને બીજુ હિમાચલ પ્રદેશના નાદૌનમાં આવેલું છે. એવી જ રીતે વલસાડમાં સરદાર પટેલના નામ પર સ્ટેડિયમ આવેલું છે. અમદાવાદનું સ્ટેડિયમ પણ તેમના નામ પર હતું. વર્ષ 2019 નવી દિલ્હીમાં આવેલ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ પણ બદલવામાં આવ્યું હતું. તેનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. ભારતમાં મોટા ભાગના સ્ટેડિયમ રાજનેતાઓના નામ પર છે પરંતુ એક પણ સ્ટેડિય કોઈ ક્રિકેટરના નામ પર નથી. જોકે કેટલાક સ્ટેડિયમ એવા છે જે ક્રિકેટ પ્રશાસકોના નામ પર રાખામાં આવ્યા છે. જેમાં ચેન્નઇમાં એમએ ચિદંમબરમ સ્ટેડિયમ, બેંગલોરનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ, મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ અને મોહાલીનું આઇએસ બિંદ્રા સ્ટેડિયમ. મુંબઇમાં આવેલું બ્રેબોર્ન સ્ટેડિયમ અને કોલકાતાનું ઐતિહાસિક ઇડન ગાર્ડસ સ્ટેડિયમ એ અંગ્રેજ અધિકારી અને તેની બહેનોના નામ પર રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Embed widget