શોધખોળ કરો

ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં મેળવી પ્રથમ જીત, શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું

AUS Vs SL: 2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ જીત હતી. શ્રીલંકાની આ સતત ત્રીજી હાર હતી.

AUS vs SL:  લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું હતું. 2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ જીત હતી. શ્રીલંકાની આ સતત ત્રીજી હાર છે. પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ માત્ર 35.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ સરળતાથી હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શ અને જોશ ઈંગ્લિસે અડધી સદી ફટકારી હતી. માર્શે 52 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લિશે 58 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

ગ્લેન મેક્સવેલે કરી આક્રમક બેટિંગ

ગ્લેન મેક્સવેલે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઓસ્ટ્રેલિયા માટે રનનો પીછો આસાન બનાવી દીધો છે. મેક્સવેલ 21 બોલમાં 31 રન બનાવીને નોટ આઉટ રહ્યો. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા

મજબૂત શરૂઆત બાદ શ્રીલંકાનો ધબડકો

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ શ્રીલંકાએ સારી શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવેલા કુલા પરેરાએ 12 ચોગ્ગાની મદદથી 78 (82) અને પથુમ નિસાન્કાએ 8 ચોગ્ગાની મદદથી 61 (67) રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 125 (130) રનની ભાગીદારી કરી હતી. જો કે આ પછી કોઈ બેટ્સમેન સારી ઈનિંગ રમી શક્યો નહોતો. પાંચમા નંબરે આવેલા ચરિથ અસલંકાએ એક છગ્ગો ફટકારીને 25 (39) રન બનાવ્યા અને ડબલ આંકડો પાર કર્યો. બાકીના 8 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. આ રીતે શ્રીલંકા 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર/કેપ્ટન), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલ્લાલાગે, મહિષ થીક્ષાના, લાહિરુ મદશાન કુમાર અને ડી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

મિચેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 14મી મેચ લખનઉમાં રમાઈ હતી. આ વખતે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે અને તે હજુ સુધી રિકવર થઈ શકી નથી. ટીમને પ્રથમ મેચમાં ભારતે પરાજય આપ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાનો પરાજય થયો. જ્યારે શ્રીલંકાએ બે મેચ રમી હતી અને બંને મેચ હારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget