શોધખોળ કરો

ચહલ પર જાતિસૂચક ટિપ્પણી કરવા મામલે યુવરાજ સિંહ પર હરિયાણામાં કેસ નોંધાયો, જાણો વિગતે

આ ટિપ્પણી મામલે હવે હરિયાણાના હિસારના હાંસીમાં દલિત અધિકાર કાર્યકર્તા અને એડવૉકેટ રજત કલસન દ્વારા યુવરાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પર હરિયાણામાં પોલીસ કેસ નોંધાયો છે. લૉકડાઉન દરમિયાન ક્રિકેટરો પોતાના ઘરોમાં બંધ છે, આવામાં યુવરાજ સિંહ અને રોહિત શર્માએ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ કરી હતી. આ ચેટ દરમિયાન યુવરાજે ચહલ પર જાતિ સૂચક કથિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી મામલે હવે હરિયાણાના હિસારના હાંસીમાં દલિત અધિકાર કાર્યકર્તા અને એડવૉકેટ રજત કલસન દ્વારા યુવરાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ સોમવારે એટલે કે 1લી જૂનની રાત્રે સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહને લઇને એક હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું હતુ, ખરેખર, આ હેશટેગ દ્વારા યુવરાજ સિંહ પાસે માફી માગવાની વાત કહેવામાં આવી રહી હતી. યુવરાજ સિંહે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માની સાથે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશનમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, આ પછી યુવરાજ સિંહને તે વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો, ત્યારબાદ '#युवराज_सिंह_माफी_मांगो' ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. સોશ્યલ મીડિયા પર યુવરાજને દેશદ્રોહી સુધી ગણાવી દીધો હતો. ફરિયાદ આપ્યા બાદ ફરિયાદકર્તા રજત કલસને ક્રિકેટર રોહિત શર્માને પણ નિશાન લીધો હતો, તેને કહ્યું કે, રોહિત શર્માએ યુવરાજની આ વાતનો વિરોધ કરવો જોઇતો હતો.
જાણો શું છે આખો મામલો..... થોડાક દિવસો પહેલા રોહિત અને યુવરાજની વચ્ચે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન થયુ હતુ, આ સેશન દરમિયાન રોહિત અને યુવરાજે ક્રિકેટ, કોરોના વાયરસ, પર્સનલ લાઇફ અને ભારતીય ક્રિકેટરોને લઇને ઘણીબધી વાતો શેર કરી હતી. આ બન્ને ખેલાડીઓની લાઇવ ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડી કુલદીપ યાવદ અને યુજવેન્દ્ર ચહલ કૉમેન્ટ કરી રહ્યાં હતા. આ કૉમેન્ટ્સને જોઇને યુવરાજે રોહિતની સાથે હસી-મજાકમાં એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરી દીધો. યુવરાજે આ દરમિયાન ચહલની મજાક ઉડાવતા એક જાતિસૂચક શબ્દ કહ્યો હતો. ચહલ પર જાતિસૂચક ટિપ્પણી કરવા મામલે યુવરાજ સિંહ પર હરિયાણામાં કેસ નોંધાયો, જાણો વિગતે ખરેખર, યુવરાજ અને રોહિત આ વાતચીતમાં ચહલના ટિકટૉક વીડિયોનો મજાક બનાવી રહ્યા હતા, હવે સોશ્યલ મીડિયા પર યુવરાજનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, અને ટ્વીટર પર લોકો તેને માફી માગવા માટે કહી રહ્યાં છે. નોંધનીય છે કે, યુવરાજ સિંહે 10 જૂન 2019ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લઇ લીધો હતો. યુવીએ ભારત માટે વર્ષ 2007 અને વર્ષ 2011ના વર્લ્ડકપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજના નામે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 10000થી વધુ રન નોંધાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget