શોધખોળ કરો

Ranji Trophy: ભારતીય ટીમમાંથી પડતો મુકવામાં આવેલા આ ખેલાડીએ રણજી ટ્રોફીમાં મચાવ્યો તરખાટ, ફટકારી બેવડી સદી

કેરળ અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ખૂબ જ રોમાંચક મેચ રમાઈ રહી છે

નવી દિલ્હી: કેરળ અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ખૂબ જ રોમાંચક મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમમાંથી પડતો મુકવામાં આવેલા ઓપનર મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરી હતી. પોતાની ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતા તે 57.78ના સ્ટ્રાઇક રેટથી 360 બોલમાં 208 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ્સ સાથે તેણે ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસીનો દાવો મજબૂત કર્યો છે.

કેરળે પ્રથમ દાવમાં 342 રન બનાવ્યા

સેન્ટ ઝેવિયર્સ કોલેજ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેરળની ટીમ 130.1 ઓવરમાં 342 રન જ બનાવી શકી હતી. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા સચિન બેબીએ 307 બોલમાં સૌથી વધુ 141 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. બેબી સિવાય જલજ સક્સેનાએ 134 બોલમાં 57 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.

કેરળના પ્રથમ દાવમાં 342 રનમાં ઓલઆઉટ થયા બાદ કર્ણાટકે તેની પ્રથમ ઇનિંગમાં છ વિકેટના નુકસાને 410 રન બનાવી લીધા છે. ટીમ માટે કેપ્ટન મયંક અગ્રવાલે સૌથી વધુ 208 રનનું યોગદાન આપ્યું છે. આ સાથે જ નિકિન જોસે અડધી સદી ફટકારી હતી.

Ranji Trophy: ગુજરાત 54 રનમાં ઓલઆઉટ

નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં વિદર્ભે ગુજરાતને બીજી ઇનિંગ્સમાં ફક્ત 54 રનમાં ઓલઆઉટ કરી ઇતિહાસ રચ્યો હતો. વિદર્ભે મેચ જીતવા માટે 73 રનનો સરળ ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ગુજરાતની ટીમ ફક્ત 54 રનમાં ઓલઆઉટ થઇ હતી. વિદર્ભ તરફથી મેચમાં  સ્પિનર ​​આદિત્ય સરવટેએ 11 વિકેટ ઝડપી હતી. વિદર્ભે રણજી ટ્રોફી ગ્રુપ ડી મેચના ત્રીજા દિવસે 18 રનથી જીત મેળવી હતી

વિદર્ભે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો છે. આ પહેલા બિહારે 1948માં દિલ્હીને હરાવ્યું હતું. 49 રનમાં માત્ર 78 રનનો ટાર્ગેટ આપ્યા બાદ જીત નોંધાવી હતી. આ મેદાન પર 9 ફેબ્રુઆરીથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમવાની છે. મેચમાં પહેલા દિવસે 15 અને બીજા દિવસે 16 વિકેટ પડી હતી.

બીજી ઇનિંગમાં ગુજરાતે એક વિકેટે છ રનથી રમવાનું શરૂ કર્યું અને આખી ટીમ 31 ઓવરમાં 54 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સરવટેએ 15.3 ઓવરમાં 17 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ​​હર્ષ દુબેએ ત્રણ વિકેટ ઝડપી હતી. ગુજરાત માટે માત્ર ત્રીજા નંબરનો બેટ્સમેન સિદ્ધાર્થ દેસાઈ 18 રન બનાવ્યા  હતા.

વિદર્ભે પ્રથમ દાવમાં 74 રન બનાવ્યા હતા જ્યારે પ્રથમ દાવમાં ગુજરાતે 256 રન બનાવીને 182 રનની લીડ મેળવી હતી. વિદર્ભે બીજા દાવમાં 254 રન બનાવ્યા અને ગુજરાતને 73 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  વિદર્ભે તેની બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી. જીતેશ શર્માએ 53 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી, જ્યારે નચિકેતે પણ 66 બોલમાં 42 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સિદ્ધાર્થ દેસાઈ ગુજરાત માટે શાનદાર રહ્યો છે. તેણે છ  વિકેટ ઝડપી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget