Rishabh Pant IPL 2024: IPLમાં રમતો જોવા મળશે ઋષભ પંત, ફિટનેસને લઇને મળી લીલી ઝંડી
Rishabh Pant IPL 2024:પંત IPL 2024માં રમતા જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પંતને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે.
![Rishabh Pant IPL 2024: IPLમાં રમતો જોવા મળશે ઋષભ પંત, ફિટનેસને લઇને મળી લીલી ઝંડી Rishabh Pant IPL 2024: Rishabh Pant is set to make his return for Delhi Capitals in IPL Rishabh Pant IPL 2024: IPLમાં રમતો જોવા મળશે ઋષભ પંત, ફિટનેસને લઇને મળી લીલી ઝંડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/c7a33a6aa9ea805516e2cb04e414ff241710056739785428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rishabh Pant Delhi Capitals: ઋષભ પંત IPL 2024માં રમતા જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પંતને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે દિલ્હીએ ઋષભ પંતને IPL 2024 માટે ટીમની બહાર રાખ્યો છે. દિલ્હીએ નેશનલ ક્રિકેટ એકેડમી પાસે પંતની ફિટનેસ અંગે અપડેટ માંગી હતી, જે ત્યાં સુધી મળી ન હતી. જો કે, નવા અપડેટ મુજબ, પંતને મંજૂરી મળી ગઈ છે અને તે રમી શકે છે.
કાર અકસ્માત બાદ પંત મેદાનથી દૂર હતો. તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો છે. પરંતુ તેણે વાપસી માટે ઘણી મહેનત કરી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ , નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. આ દિવસોમાં પંત IPLના પ્રમોશન કેમ્પેઇનમાં સતત ભાગ લઈ રહ્યો છે. તે હવે દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોડાવા માટે વિશાખાપટ્ટનમ જશે.
પંતને મળી શકે છે દિલ્હીની કેપ્ટનશીપ
પંતની વાપસી સાથે જ તેને કેપ્ટનશીપ મળી શકે છે. રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સ તેને કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. દિલ્હી કેપિટલ્સનું ટીમ મેનેજમેન્ટ પંત પર કોઈપણ પ્રકારનું દબાણ લાવવા માંગતું નથી. આ કારણથી તે અત્યારે કેપ્ટનશીપને લઈને કોઈ નિર્ણય લઈ રહ્યા નથી. પંત વિકેટકીપર બેટ્સમેનના રોલમાં જોવા મળી શકે છે.
દિલ્હી તેની પ્રથમ મેચમાં પંજાબ સામે ટકરાશે
IPL 2024 22 માર્ચથી શરૂ થશે. તેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચ 23 માર્ચે છે. આ મેચ દિલ્હી અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. દિલ્હીની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સાથે છે. આ મેચ 28 માર્ચે રમાશે.
નોંધનીય છે કે ક્રિકેટર સૂર્યકુમાર યાદવ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. પરંતુ તાજેતરમાં આ મિડલ ઓર્ડર બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો. ગયા મહિને સૂર્યકુમાર યાદવની જર્મનીમાં ગ્રોઈન સર્જરી થઈ હતી. સાથે જ સ્પોર્ટ્સ હર્નિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ ખેલાડીએ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન શરૂ કરી દીધું છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને આશા છે કે આઈપીએલની સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)