શોધખોળ કરો

IPL 2025: મુંબઈ છોડ્યા બાદ આઈપીએલની નંબર વન ટીમ સાથે જોડાઈ શકે છે રોહિત શર્મા, રિપોર્ટમાં થયો ચોંકવનારો ખુલાસો

IPL 2025: આઈપીએલ 2025 પહેલા ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. રોહિતને 2024ની IPLમાં કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

IPL 2025 Rohit Sharma Mumbai Indians:  IPL 2025 પહેલા ઘણા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ માટે પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતનાર રોહિત શર્મા(Rohit Sharma) આઈપીએલ 2025(IPL 2025) પહેલા ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. જોકે, આઈપીએલ 2024માં જ એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત શર્મા મુંબઈ માટે નહીં પરંતુ આગામી વર્ષની આઈપીએલમાં કોઈ અન્ય ટીમ માટે રમશે. હવે આ અટકળો વચ્ચે જે રિપોર્ટ સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે.

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 પહેલા હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો, ત્યારબાદ સમાચાર તેજ બન્યા હતા કે રોહિત શર્મા 2025 આઈપીએલમાં ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. હવે 'દૈનિક જાગરણ'ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને અલવિદા કહી શકે છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે હિટમેન મુંબઈ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ બની શકે છે. રિપોર્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમાર યાદવ વિશે પણ કહેવામાં આવ્યું હતું કે તે પણ ફ્રેન્ચાઈઝી છોડી શકે છે.

રોહિતને સુકાનીપદેથી હટાવ્યા બાદ ચાહકો ખુશ નહોતા

તમને જણાવી દઈએ કે IPL 2024માં રોહિત શર્માને હટાવીને અને હાર્દિક પંડ્યાની મુંબઈના કેપ્ટન તરીકે નિમણૂકથી ફેન્સ બિલકુલ ખુશ ન હતા. ચાહકોનું માનવું હતું કે પાંચ વખત ફ્રેન્ચાઈઝીનો ખિતાબ જીતી ચૂકેલા રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવા ન જોઈએ. રોહિત શર્માએ 2013માં મુંબઈની કમાન સંભાળવાની શરૂઆત કરી હતી અને 2023 સુધી તે કેપ્ટન રહ્યો હતો. આ દરમિયાન મુંબઈએ રોહિતની કેપ્ટનશીપમાં 5 ટાઈટલ જીત્યા હતા.

જોકે, રોહિત શર્માના અલગ થવાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આવી સ્થિતિમાં રોહિત શર્મા 2025 IPLમાં કઈ ફ્રેન્ચાઈઝી માટે રમે છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

આઈપીએલની છેલ્લી સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી રહી ન હતી. હવે IPL 2025 પહેલા તેની સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર રોહિત શર્માની સાથે વધુ બે દિગ્ગજ ખેલાડી ટીમ છોડી શકે છે. સમાચાર છે કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ ટીમ છોડી શકે છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget