શોધખોળ કરો

Team India : BCCIની શુભમન ગીલને આડકતરી ચેતવણી

મેચના ચોથા દિવસે શનિવારે (10 જૂન) ભારતીય ટીમનો બીજો દાવ શરૂ થયો હતો. ઓપનર શુભમન ગિલ બીજી ઈનિંગમાં વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો.

BCCI Official : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મેચના ચોથા દિવસે શનિવારે (10 જૂન) ભારતીય ટીમનો બીજો દાવ શરૂ થયો હતો. ઓપનર શુભમન ગિલ બીજી ઈનિંગમાં વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બન્યો હતો. IPLમાં ઓરેન્જ કેપ જીતનાર ગિલે 19 બોલમાં 18 રન બનાવ્યા હતા. તે સ્કોટ બોલેન્ડની બોલિંગ પર કેમેરોન ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. જો કે, ગ્રીનના કેચ પર સવાલો ઉઠી રહ્યા છે અને લોકોનું માનવું છે કે તેનો આ કેચ સ્પષ્ટ નહોતો.

ભારતના ઓપનરે બાદમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં અમ્પાયરો પર નિશાન સાધતા આઉટ થવા પર તેની હતાશા વ્યક્ત કરી હતી. શુભમને શનિવારે મોડી રાત્રે ગ્રીન કેચની તસવીર શેર કરી હતી. જોકે, BCCI શુભમનના આ વલણથી નાખુશ જણાય છે. આ મામલે ચર્ચા કરવાને લઈને BCCIએ ઇશારામાં જ શુભમનને ચેતવણી આપી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

ભારતની બીજી ઇનિંગમાં શુભમન ગિલ અને રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી. બંનેએ સાત ઓવરમાં 41 રનની ભાગીદારી નોંધાવી હતી. લાગી રહ્યું હતું કે, ટેસ્ટ મેચમાં બંને બેટ્સમેન ODI સ્ટાઈલમાં રમી રહ્યા હતા. આઠમી ઓવરમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે સ્કોટ બોલેન્ડને બોલિંગ માટે બોલાવ્યો હતો. બોલેન્ડે પહેલો જ બોલ ગુડલેંથ કર્યો હતો. ગિલ બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ બેટની બહારના કિનારે અડ્યો અને ગલીમાં કેમેરોન ગ્રીન પાસે ગયો હતો. ગ્રીને તેની ડાબી તરફ ડાઇવ કરીને એક હાથે કેચ લીધો હતો. પરંતુ એવું લાગી રહ્યું હતું કે, બોલ જમીન પર અડી ગયો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે ગિલને આઉટ આપ્યો હતો.
 
બીસીસીઆઈના ઉપાધ્યક્ષે નિવેદન આપ્યું

થર્ડ અમ્પાયરના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર લોકોના અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા હતા. દરમિયાન, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ બાબતને વધારે પ્રાધાન્ય ના આપવા જણાવ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં રાજીવ શુક્લાએ ગિલને ઈશારા ઈશારામાં જ ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે આને લઈને વિવાદ ના ઉભો કરવો જોઈએ. આપણે ત્રીજા અમ્પાયરના નિર્ણયને સ્વીકારવો જોઈએ.

કેચ પકડનાર ગ્રીને શું કહ્યું?

દિવસની રમત બાદ મીડિયા સાથે વાત કરતા કેમેરોન ગ્રીને પોતાનો પક્ષ રજુ કર્યો હતો. ગ્રીને કહ્યું હતું કે, તે સમયે મેં ચોક્કસપણે વિચાર્યું કે, મેં તેને ઝડપી લીધો છે. મને લાગ્યું કે, કેચ ક્લીન છે અને પછી બોલ ફેંકી દીધો. દેખીતી રીતે તેમાં કોઈ જ શંકા નથી અને બાદમાં નિર્ણયને થર્ડ અમ્પાયર પર છોડી દેવામાં આવ્યો હતો. તે અમારી સાથે સંમત થયા હતાં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget