શોધખોળ કરો

Sreesanth on World Cup : 2011નો વર્લ્ડકપ જીતનાર ટીમના ખેલાડીએ કર્યો મોટો દાવો, હું Kohliની કેપ્ટનશિપમાં રમ્યો હોત તો Team India જીતી જાત વર્લ્ડકપ

Team India: મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીસંતે કહ્યું કે જો હું વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા માટે રમ્યો હોત તો અમે વર્લ્ડ કપ જીતી જાત. અમે સચિન તેંડુલકર માટે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો.

Sreesanth Virat Kohli Team India World Cup: ચેમ્પિયન્સ ટ્રોફી 2013 બાદ ટીમ ઇન્ડિયા આઇસીસીની એક પણ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. આ વર્ષ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ વિરાટ કોહલીને મળી હતી. જોકે તે પોતાની કેપ્ટન્સી હેઠળની ટીમને એક પણ ટાઈટલ અપાવી શક્યો નહતો. હાલમાં જ પૂર્વ ક્રિકેટર એસ.શ્રીસંતે આ અંગે દાવો કર્યો છે.  તેણે કહ્યું,  જો હું કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયા માટે રમ્યા હોત, તો અમે વર્લ્ડ કપ જીતી ગયા હોત.

ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારત હારી ગયું હતું. ટીમ ઈન્ડિયાએ 2019 અને 2021 ના વર્લ્ડ કપમાં મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીસંતે કહ્યું કે જો હું વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા માટે રમ્યો હોત તો અમે વર્લ્ડ કપ જીતી જાત. અમે સચિન તેંડુલકર માટે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો.

શ્રીસંત એક સમય માટે ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ બોલરોમાંના એક હતા. તેણે તેની કારકિર્દી દરમિયાન 27 ટેસ્ટ મેચ રમી હતી અને આ સમયગાળા દરમિયાન તેણે 87 વિકેટ ઝડપી હતી. તેણે 53 વન ડેમાં 75 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 10 ટી-20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ ઝડપી છે. પરંતુ આઇપીએલમાં ફિકસીંગના કારણે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે બાદ શ્રીસંતની ક્રિકેટ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું.

શ્રીસંતને થપ્પડ મારનાર હરભજન સિંહે 14 વર્ષ પછી પોતાની ભૂલ સ્વીકારી

IPLની પહેલી સીઝન એટલે કે વર્ષ 2008માં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારવા મુદ્દે હવે અફસોસ વ્યક્ત કર્યો હતો. પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજને આ ઘટનાના 14 વર્ષ બાદ થોડા દિવસો પહેલા પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારે શ્રીસંતને થપ્પડ નહોતી મારવાની, એ દિવસે જે થયું તે ખુબ જ ખોટું થયું. હરભજન સિંહે આગળ કહ્યુ કે, રમતમાં લાગણીઓ હંમેશાં તમારી સાથે રહે છે પરંતુ તેના પર કાબૂ કરવાનો હોય છે. એ દિવસે જે પણ થયું એ મારી ભૂલ હતી. આઈપીએલની શરુઆતની પહેલી સિઝનમાં હરભજન સિંહ મુંબઈ ઈંડિયન્સ તરફથી રમી રહ્યો હતો જ્યારે શ્રીસંત યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.