શોધખોળ કરો

Team India Schedule: હવે 40 દિવસ બાદ મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યારે અને કોની સામે થશે મુકાબલો

IND vs BAN Test Series: ટીમ ઈન્ડિયા 40 દિવસ આરામ કરશે. આ પછી તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે મેદાનમાં ઉતરશે.

IND vs BAN Test Series: ભારતે તાજેતરમાં શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમી. ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટી-20 સિરીઝ જીતી હતી. પરંતુ વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ 40 દિવસ આરામ કરશે. આ પછી તે ફરીથી મેદાનમાં ઉતરશે. રસપ્રદ વાત એ છે કે ભારતે આ વર્ષે ODI રમવાની નથી. ટીમ ઈન્ડિયા માત્ર ટેસ્ટ અને ટી20 સિરીઝ રમશે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવી રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ધર્મશાલામાં રમાશે. આ મેચ 6 ઓક્ટોબરે રમાશે. આ પછી બીજી T20 મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે. ત્રીજી અને છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ બાદ ન્યુઝીલેન્ડનો સામનો કરવાનો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે. આ શ્રેણી ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમોએ આ શ્રેણી જીતવી જરૂરી છે. ભારતીય ટીમે આ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં એક ટેસ્ટ મેચ ડે-નાઈટ રમવાની છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘણો પરસેવો પાડવો પડશે.

નિરાશાજનક રહી શ્રીલંકા સામેની વનડે સિરીઝ

 

તમને જણાવી દઈએ કે શ્રીલંકાએ હાલમાં જ ભારતને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0થી હરાવ્યું છે. શ્રીલંકાએ બે મેચ જીતી હતી અને એક મેચ ટાઈ રહી હતી. આ સિરીઝમાં રોહિત શર્મા સિવાય લગભગ તમામ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. અક્ષર પટેલે પણ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને શુભમન ગિલ સહિત તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. રાહુલ અને અય્યર લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યા નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ
Holi 2025:મોહમ્મદ શમીની દીકરીએ રમી હોળી,મચી ગયો હોબાળો; ગુસ્સે ભરાયેલા ચાહકોએ જાણો કોની ઝાટકણી કાઢી
Holi 2025:મોહમ્મદ શમીની દીકરીએ રમી હોળી,મચી ગયો હોબાળો; ગુસ્સે ભરાયેલા ચાહકોએ જાણો કોની ઝાટકણી કાઢી
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Embed widget