શોધખોળ કરો

IND vs PAK: કેએલ રાહુલ અને વિરાટ કોહલીનો કમાલ, પાકિસ્તાન સામે તોડ્યા 3 મોટા રેકોર્ડ 

ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

Virat Kohli-KL Rahul Record: ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. જો કે આ પહેલા ભારત માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. આ સિવાય વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઘણા મોટા રેકોર્ડ તોડ્યા.

વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની ભાગીદારી થઈ હતી. એશિયા કપના ઇતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ હાફીઝ અને નાસિર જમશેદના નામે હતો. એશિયા કપ 2012માં બંને ખેલાડીઓ વચ્ચે 224 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી.

વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા...

આ સિવાય વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ મેચમાં સૌથી મોટી ભાગીદારી કરી હતી. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધુના નામે હતો. સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે બીજી વિકેટ માટે 231 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે વર્ષ 2018માં શિખર ધવન અને રોહિત શર્માએ પાકિસ્તાન સામે 210 રનની ભાગીદારી નોંધાવી હતી.


વિરાટ કોહલી અને કેએલ રાહુલનું મોટું પરાક્રમ...

ODI ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી વખત છે જ્યારે ભારત માટે નંબર 3 અને નંબર 4 બેટ્સમેનોએ મેચમાં સદીનો આંકડો પાર કર્યો હોય. રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર સિવાય ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી હતી. આ રીતે, આજની મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે 3 મોટા રેકોર્ડ તોડ્યા. આ પછી ભારતીય ટીમ શ્રીલંકાના પડકારનો સામનો કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે મેચ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે.  

ભારતે બનાવ્યા હતા 356 રન

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget