શોધખોળ કરો

IND Vs NZ: ઇંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીઓને કોણે કોણે સાથે લઇ જવાની બીસીસીઆઇએ આપી પરમીશન, જાણો વિગતે

ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ ત્રણ મહિનાથી પણ વધુ ચાલવાનો છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડની સાથે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. આખા પ્રવાસ દરમિયાન ખેલાડીઓનો પરિવાર ઇંગ્લેન્ડમાં રહી શકે છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આ મહિને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમશે. ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા બીસીસીઆઇએ ખેલાડીઓને મોટી રાહત આપી છે. ભારતીય ટીમના ખેલાડીઓ, કૉચિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફને ઇંગ્લેન્ડ પ્રવાસ પર પરિવારને સાથે લઇ જવાની મંજૂરી મળી ગઇ છે.  

ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ ત્રણ મહિનાથી પણ વધુ ચાલવાનો છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડની સાથે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. આખા પ્રવાસ દરમિયાન ખેલાડીઓનો પરિવાર ઇંગ્લેન્ડમાં રહી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારતીય ખેલાડીઓને પરિવારને સાથે લઇ જવાની મંજૂરી મળી ગઇ છે. તે તેમની સાથે ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી રહેવા માંગે. આખા પ્રવાસ દરમિયાન રહેવા માંગતા હોય તો રહી શકશે.

ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં પણ થયુ હતુ આવુ.......
ભારતીય પુરુષ ટીમને ભારતીય મહિલા ટીમની સાથે ચાર્ટર પ્લેનમાં રવાના થવાનુ છે. મહિલા ખેલાડીઓ પર જોકે આ નિયમ લાગુ નહીં થાય. એવી સંભાવના છે કે મહિલા ટીમોને પરિવારની સાથે લઇ જવાની મંજૂરી નહી મળે કેમકે તેમનો પ્રવાસ સીમિત સમયનો છે. 

પુરુષ ટીમને ત્યાં 100 દિવસથી વધુ રહેવાનુ છે, જ્યારે મહિલા ટીમનો પ્રવાસ મહિનાથી વધુનો રહેશે જેમાં એક ટેસ્ટ, ત્રણ વનડે, ત્રણ ટી20 રમવાની છે. ભારતીય ટીમ ત્રીજી જૂને લંડન પહોંચી જશે જ્યાંથી તે સાઉથેમ્પ્ટન જશે અને ત્યાં ક્વૉરન્ટાઇનમાં રહેશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં પણ ખેલાડીઓને પરિવાર સાથે લઇ જવાની અનુમતિ મળી હતી. 

ઉલ્લેખનીય છે કે, આગામી કેટલાક મહિના ઇન્ડિયન ક્રિકેટર્સ માટે ખુબ વ્યસ્ત રહેવાના છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ બાદ તરત જ યુએઇમાં આઇપીએલની 14મી સિઝનની ફરીથી શરૂઆત થશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપ પણ રમાવવાનો છે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget