શોધખોળ કરો

IND vs ENG: ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમશે જસપ્રીત બુમરાહ, પૂર્વ ક્રિકેટરે આપી આ સલાહ

જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે પોતાના ટેસ્ટ કેરિયરમાં તમામ 17 ટેસ્ટ મેચ વિદેશમાં રમી છે.

ચેન્નઈઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ ગુરુવારથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે ટીમ ઈન્ડિયા તરફથી 17 ટેસ્ટ મેચ રમી ચૂકેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પહેલીવાર ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમશે. જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2018માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે પોતાના ટેસ્ટ કેરિયરમાં તમામ 17 ટેસ્ટ મેચ વિદેશમાં રમી છે. આ દરમિયાન ચાર ઈંગ્લેન્ડમાં, ત્રણ ટેસ્ટ દક્ષિણ આફ્રિકામાં, બે ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝમાં અને આઠ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમી છે. પોતાના ટેસ્ટ કેરિયરમાં બુમરાહે અત્યાર સુધી 79 વિકેટ લીધી છે. ટેસ્ટની એક મેચમાં બુમરાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 9/86 છે. ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ બુમરાહને ખાસ સલાહ આપી છે. ચોપડાનું કહેવું છે કે, બુમરાહે ટીમની સફળતા માટે અલગ પ્રકારની બોલિંગ કરવી પડશે. તે ભારત માટે સિમિત ઓવરોની ક્રિકેટમાં મેચ વિનર છે. ટેસ્ટમાં પણ છે. કારણ કે તેણે 79 વિકેટ ઝડપી છે. પરંતુ અત્યાર સુધી ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમી નથી. તે પહેલીવાર ભારતમાં એસજી રેડ બોલથી બોલિંગ કરશે અને તેણે આ પહેલા 2016માં એસજી બોલથી બોલિંગ કરી હતી. એવામાં તેના માટે આ બોલથી બોલિંગ કરવું મુશ્કેલ રહેશે. અત્યાર સુધી તે કૂકાબૂરા અને ડ્યૂક બોલથી રમ્યો છે. જે નવો બોલ મૂવ કરે છે. પરંતુ એસજી બોલ સાથે એવું નથી.
View this post on Instagram
 

A post shared by ICC (@icc)

આકાશ ચોપડાએ વધુમાં કહ્યું કે, ભારતમાં પેચ એ પ્રકારની નથી. એવામાં તેણે સ્ટંપ્સ પર બોલને ખતમ કરવું પડશે. અહીંથી તેને ક્લીન બોલ્ડ અને એલબીડબ્યૂની તક વધારે મળશે. અહીં તેને આઉટ સાઈડ એજ ઓછી મળશે, કારણ કે નવી બોલ ઓછી મૂવ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
Embed widget