શોધખોળ કરો
IND v ENG: ચોથા દિવસની રમત પૂર્ણ, કોહલી-પૂજારા ખાતું પણ ન ખોલાવી શક્યા, ઈંગ્લેન્ડ જીતથી 7 વિકેટ દૂર
1/5

ઓવલઃ ઈંગ્લેન્ડે આપેલા 464 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની દર વખતની જેમ નબળી શરૂઆત થઈ હતી. ઈનિંગની ત્રીજી જ ઓવરમાં ભારતે ધવન (1 રન) અને પૂજારા (0 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને વિકેટ એન્ડરસને ઝડપી હતી. ભારત આ ઝટકામાંથી ઉગરે તે પહેલા જ ચોથી ઓવરમાં બ્રોડે કોહલીને (0 રન) પેવેલિયન પરત મોકલી દીધો હતો. ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 58 રન છે. રાહુલ 46 અને રહાણે 10 રને રમતમાં છે.
2/5

ઓવલઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે તેની બીજી ઈનિંગ 8 વિકેટના નુકસાન પર 423 રન બનાવી ડિકેલર કરી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 40 રનની લીડ મળી હોવાથી મેચ જીતવા ભારતને 464 રનનો લક્ષ્યાંક મળ્યો છે. રાશિદ 20 રને અણનમ રહ્યો હતો ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીએ 3-3 તથા શમીએ 2 વિકેટ લીધી હતી.
Published at : 10 Sep 2018 03:28 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















