શોધખોળ કરો
INDvAUS: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો ? જાણો વિગત
1/5

ટોપ ઓર્ડરનો કંગાળ દેખાવઃ 289 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમને ઓપનરો મજબૂત શરૂઆત અપાવશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ ધવન આઉટ થયા બાદ કોહલી અને રાયડુ એક જ ઓવરમાં આઉટ થઈ જતાં ભારતનો સ્કોર 4 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. ભારત તેમાંથી ક્યારેય બહાર આવી શક્યું નહોતું. રોહિત શર્માએ 133 રન બનાવ્યા હતા.
2/5

વધુ પડતો આત્મવિશ્વાસઃ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ વન ડે રમવા ઉતરેલી ભારતીય ટીમનો વધુ પડતો આત્મવિશ્વાસ નડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ભારતીય બોલર્સ નિયમિત વિકેટ ઝડપી શક્યા નહોતા. ઉપરાંત ભારતીય ટીમે બેટિંગમાં ઓસ્ટ્રેલિયાના નવોદિત ફાસ્ટ બોલર્સને હળવાશથી લીધા હતા. નવોદિત રિચાર્ડસનને 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Published at : 12 Jan 2019 04:08 PM (IST)
View More





















