શોધખોળ કરો

India Vs England 2nd Test: આજે ઇગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ, સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં રોહિત શર્માની અગ્નિપરીક્ષા

India Vs England 2nd Test: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં કેપ્ટન રોહિતની અગ્નિપરીક્ષા થશે.  તેનું કારણ એ છે કે ટીમમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ નથી.

India Vs England 2nd Test:  ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે.

શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ચોથા દિવસે જ ભારતીય ટીમને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા માંગે છે.

ભારતીય ટીમ આ 4 દિગ્ગજ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં કેપ્ટન રોહિતની અગ્નિપરીક્ષા થશે.  તેનું કારણ એ છે કે ટીમમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ નથી. આવી સ્થિતિમાં તે ચાર દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં રોહિતે મેચ જીતીને શ્રેણી બરોબરી કરવી પડશે. કેપ્ટન માટે પણ આ ખરો પડકાર બની રહેશે.

આ ઉપરાંત રોહિતે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને લઈને પણ મોટો નિર્ણય લેવો પડશે જે સતત ફ્લોપ થઈ રહ્યા છે. તેમજ સરફરાઝ ખાન અને રજત પાટીદારને તક આપવા અંગે વિચારણા કરવી પડશે. જો બંનેને તક મળશે તો આ તેમની ડેબ્યૂ મેચ હશે.

આ મેદાન પર રોહિતનો શાનદાર રેકોર્ડ

બીજી તરફ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં રોહિતનો રેકોર્ડ પણ શાનદાર છે. રોહિતે આ સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 4 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે. રોહિતે આ મેદાન પર છેલ્લી વનડે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જેમાં તેણે 13 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી

ભારતીય ટીમ ઘરઆંગણે ભાગ્યે જ સંઘર્ષ કરતી જોવા મળે છે, પરંતુ આ પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં જોવા મળ્યું હતું. ત્રણ વર્ષ પહેલા પણ ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટમાં આ જ વિરોધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ડાબોડી સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે નવી યોજનાઓ બનાવવી પડશે.

જાડેજાની જગ્યાએ કુલદીપને તક મળી શકે છે

જાડેજાની ગેરહાજરીમાં કુલદીપ યાદવ રમે તેવી અપેક્ષા છે. હવે જોવાનું એ રહે છે કે ભારતીય ટીમ જસપ્રીત બુમરાહના રૂપમાં માત્ર એક ફાસ્ટ બોલર સાથે જાય છે કે પછી વધારાના સ્પિનર ​​તરીકે વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવે છે. જોકે, ઉત્તર પ્રદેશના યુવા લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતના વર્લ્ડ ક્લાસ સ્પિનરો ઈંગ્લેન્ડ સામે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ભારતીય બેટ્સમેનોએ પણ ટર્નિંગ ટ્રેક પર નિરાશ કર્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર ​​ટોમ હાર્ટલીએ તેની પ્રથમ ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતની સંભવિત પ્લેઇંગ-11

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર/સરફરાઝ ખાન, શ્રેયસ અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ/વોશિંગ્ટન સુંદર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget