શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND Vs ENG : ત્રીજી વનડેમાં ભારતની 8 વિકેટે હાર, ઇંગ્લેન્ડે 2-1થી સીરીઝ જીતી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/18072751/1-india-vs-england-3rd-odi-england-beat-india-by-eight-wicket.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ મેચમાં ૧૨મો રન પૂર્ણ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૩,૦૦૦ રન ૪૯મી ઇનિંગમાં પૂર્ણ કરતાં એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ડી વિલિયર્સે ૬૦ ઇનિંગમાં ત્રણ હજાર રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ લગભગ ૮૩ના સ્ટ્રાઇક રેટથી ૧૩ સદી અને ૧૨ અર્ધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ ઉપરાંત ત્રણ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. તેના પહેલાં ધોની અને સૌરવ ગાંગુલીએ ત્રણ હજારથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ ૧૪૭ મેચમાં કેપ્ટનશિપ કરતાં ૫,૧૦૪ રન અને મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯૯ મેચમાં ૬,૬૩૩ રન બનાવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/18072803/4-india-vs-england-3rd-odi-england-beat-india-by-eight-wicket.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવતાં કેપ્ટન તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ મેચમાં ૧૨મો રન પૂર્ણ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૩,૦૦૦ રન ૪૯મી ઇનિંગમાં પૂર્ણ કરતાં એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. ડી વિલિયર્સે ૬૦ ઇનિંગમાં ત્રણ હજાર રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ લગભગ ૮૩ના સ્ટ્રાઇક રેટથી ૧૩ સદી અને ૧૨ અર્ધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી આ ઉપરાંત ત્રણ હજાર રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. તેના પહેલાં ધોની અને સૌરવ ગાંગુલીએ ત્રણ હજારથી વધુ રન બનાવ્યા હતા. ગાંગુલીએ ૧૪૭ મેચમાં કેપ્ટનશિપ કરતાં ૫,૧૦૪ રન અને મહેન્દ્રસિંહ ધોનીએ ૧૯૯ મેચમાં ૬,૬૩૩ રન બનાવ્યા હતા.
2/4
![ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/18072759/3-india-vs-england-3rd-odi-england-beat-india-by-eight-wicket.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.
3/4
![જો રૂટની કુલ ૧૩મી અને ભારત સામે સતત બીજી સદી હતી. ભારતીય ટીમે ત્રણ બદલાવ કરતાં સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ અને લોકેશ રાહુલને બહાર કરી ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને દિનેશ કાર્તિકને સામેલ કર્યા હતા. ઇંગ્લેન્ડે પણ એક બદલાવ કરતાં ઓપનર જેસન રોયના સ્થાને જેમ્સ વિન્સને સામેલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો કરવો પડયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/18072755/2-india-vs-england-3rd-odi-england-beat-india-by-eight-wicket.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો રૂટની કુલ ૧૩મી અને ભારત સામે સતત બીજી સદી હતી. ભારતીય ટીમે ત્રણ બદલાવ કરતાં સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ અને લોકેશ રાહુલને બહાર કરી ભુવનેશ્વર, શાર્દુલ ઠાકુર અને દિનેશ કાર્તિકને સામેલ કર્યા હતા. ઇંગ્લેન્ડે પણ એક બદલાવ કરતાં ઓપનર જેસન રોયના સ્થાને જેમ્સ વિન્સને સામેલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો કરવો પડયો હતો.
4/4
![નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88 રનની ઈનિંગ રમી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/18072751/1-india-vs-england-3rd-odi-england-beat-india-by-eight-wicket.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88 રનની ઈનિંગ રમી હતી.
Published at : 18 Jul 2018 07:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion